[૪પ૪] લુકમો આપ્યા પછી આપનારની નમાઝ ફાસિદ થઈ

Chapter : નમાઝ

(Page : 473)

સવાલ : અમારા ગામમાં ઈમામ સાહેબે ઈશાની નમાઝમાં સૂરએ ફાતિહાની પહેલી આયત પઢી અને બીજી આયત (અર્રહ્‌માનિર્રહીમ) ભૂલથી છૂટી ગઈ અને ત્રીજી આયત (માલિકી યવ્મિદ્દીન) શરૂ કરી કે એટલામાં એક મુકતદીએ કહયું (અર્રહ્‌માનિર્રહીમ) ભૂલી ગયા. આ સાંભળી ઈમામ સા. બીજી છૂટેલી આયત પઢી લીધી તો ઈમામ સા.ની નમાઝ સહીહ થશે કે ફાસિદ થઈ જશે ?

જવાબ : પૂછેલી સૂરતમાં ઈમામ સાહેબની નમાઝ ફાસિદ નહિ થાય, કારણ કે નમાઝમાં લુકમો આપનાર મુકતદી ‘‘અર્રહ્‌માનિર્રહીમ પઢતા સુધી તો નમાઝમાં હતો અને ‘‘ભૂલી ગયો બોલવાથી નમાઝ ફાસિદ થઈ ગઈ. એટલે ઈમામ સાહેબે પોતાની સાથે શરીક હતો એવા મુકતદીનો લુકમો સાંભળીને લુકમો લીધો છે. માટે તેઓની નમાઝ દુરુસ્ત ગણાશે. અલબત્ત, બોલનાર મુકતદીની નમાઝ ફાસિદ ગણાશે.     (શામી, ભા–૧)

Log in or Register to save this content for later.