[૩૧૪] શોહરની વફાત પછી જણસો અને વાસણોનો હુકમ

Chapter : નિકાહ

(Page : 365)

સવાલઃ– જો કોઈ ઓરતની શાદી થાય એ પછી તેના ધણી ગુજરી જાય અને ઓરત પોતાના માં–બાપના ઘરે પાછી આવી જાય તો એની શાદીની જણસો અને ભેટમાં મળેલ વાસણો વિગેરેના હકદાર કોણ? ઉપરોકત ઓરત કે તેના સાસુ – સસરા?

જવાબઃ– જે જણસો મહર પેટે આપવામાં આવી નથી, માત્ર પહેરવા માટે શવહરે ઓરતને આપી હતી તે જણસો શવહરની ગણાશે, જે જણસો ઓરતના મા – બાપે અથવા સગાઓએ આપી હતી તે ઓરતની ગણાશે અને જે મહર પેટે ન મળી હતી તે શોહરની ગણાશે. જે વાસણો ઓરતને શાદીની ભેટ તરીકે મળ્યા હતા તે ઓરતના ગણાશે.          (શામી. ર)

Log in or Register to save this content for later.