Chapter : નિકાહ
(Page : 358-359)
સવાલઃ– એક માણસે ચાર પાંચ વર્ષથી શાદી કરેલ છે, પરંતુ અવલાદ નથી, ડોકટરથી નિદાન કરાવતાં માલૂમ પડયું કે માણસના વીર્યમાં શુક્રાણુઓની કમી છે, જેની દવા કરવા છતાં શુક્રાણુઓમાં કોઈ ફરક નથી, ડોકટરોનું કહેવું એવું છે કે તમારા વીર્યને લેબોરેટરીમાં ગરમી આપી ટયુબ વડે તમારી પત્નીના ગર્ભાશયમાં મુકવામાં આવે તો અવલાદ થશે.
તો શું આવું કરવું શરીઅતની દ્રષ્ટિએ જાઈઝ છે કે ના જાઈઝ?
જવાબ :– પુરુષ પતિનું વીર્ય લીધા પછી લેબોરેટરીમાં ગરમી આપ્યા પછી એ વાત જાહેર છે કે હસ્ત્ર ક્રિયા વડે તે વીર્ય ઓરતના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવશે, આ હસ્ત્ર ક્રિયા માત્ર ઓરત (પત્ની)ના શરીર સાથે પતિ સિવાય કોઈ ત્રીજી વ્યકિત (ડોકટર) કરશે, જે જાઈઝ નથી. (શામી ભા.પ)
Log in or Register to save this content for later.