Chapter : નિકાહ
(Page : 351-352-353)
સવાલઃ– મેં ૧૯૮૪ની સાલમાં નડીયાદ કીડની હોસ્પિટલમાં પુરેથરા પ્લસ્ટો જે પેશાબની નળી વાકી થઈ ગઈ હતી તે નળીને સીધી કરી ત્યાં નવી ચામડી મારા શરીરની મૂકી સર્જરી કરી હતી, આ ઓપરેશન અલ્લાહ તઆલાના ફઝલો કરમથી સફળ થયું અને મને જે પેશાબના રસ્તે પેશાબ થતો ન હતો તે પેશાબના રસ્તે પેશાબ પણ થતો થઈ ગયો.
પરંતુ આ ઓપરેશન કર્યા પછી જયારે હું સંપૂર્ણ સારો થઈ ગયો ત્યારે ડોકટરે પેશાબની નળીમાં દવા નાંખી એક એક્ષરે લીધો આ એક્ષરે જોતા એવું માલૂમ પડયું કે પેશાબની નળી બરાબર બની છે, પરંતુ જયાં પેશાબની નળી બનાવવામાં આવી છે, ત્યાં થોડી મોટી નળી બની ગઈ છે, એટલે ત્યાં થોડા ખાડા જેવું થઈ ગયું છે, આ મોટી નળીના ભાગમાં જયારે પેશાબ કરીએ તો ત્યાં પેશાબ ભેગો થાય છે, જયારે આ ભાગને હાથથી દબાવવામાં આવે તો એ પેશાબ બહાર આવી જાય છે.
પરંતુ હું જયારે મારી બીવી જોડે સંભોગ કરું છું ત્યારે જે વીર્ય બહાર આવે છે એ વીર્ય એ મોટી નળીના ભાગમાં ભેગું થાય છે, જે ઓરતના ગર્ભાશયમાં વીર્ય જવું જોઈએ એ જતું નથી, જો હું મારા હાથથી એ મોટી નળીના ભાગને દબાવું તો એ વીર્ય ઓરતના શરીરમાં (ગર્ભાશયમાં) જશે.
હવે મારો પ્રોબ્લેમ એ છે કે મારું લગ્ન થયા એને તા. ૪ / પ / ર૦૦૧ ના રોજ ચાર વર્ષ પૂરા થયા, પરંતુ મને હજુ સુધી સંતાન (બાળક) નથી. સંતાન પ્રાપ્તિ માટે મેં ડોકટરોની સલાહ લીધી આને માટે મેં ત્રણ ડોકટરોની સલાહ લીધી અને વૈદની પણ સલાહ લીધી પરંતુ આ ચાર વર્ષમાં સંતાન પ્રાપ્તિના કોઈ ચિહ્ન નથી મળ્યા.
આ ત્રણ ડોકટરોનું કહેવું છે કે હવે તમારે સંતાન પ્રાપ્તિ માટે યઈઅઈયઈ નામની પધ્ધતિ અપનાવવી પડે યઈઅઈયઈ પધ્ધતિ એ એવી પધ્ધતિ છે જે આપણું પોતાનું વીર્ય ઓરતના ગર્ભાશયમાં મૂકે છે, આ પધ્ધતિથી ગર્ભાશય રહે છે.
મારો પ્રોબ્લેમ જોતા ડોકટરનું કહેવું છે કે તમારું વીર્ય જે ભાગમાં ભેગું થાય છે, ત્યાં જો તમે દબાવીને ઓરતના શરીરમાં નાંખો છો તે વીર્ય ગર્ભાશય સુધી જતું નથી જેથી તમારે ગર્ભધારણ કરવામાં પ્રોબ્લેમ રહે છે, માટે યઈઅઈયઈની પધ્ધતિનો ઉપયોગ કરી ગર્ભધારણ કરી શકો છો, તો સવાલ એ કે મારું વીર્ય ડોકટર લઈ ઈન્જેકશન દ્વારા મારી પત્નીના ગર્ભાશયમાં આ વીર્ય મૂકી ગર્ભધારણ કરી શકાય?
ડોકટરના કહેવા મુજબ આ જ ઉત્તમ ઈલાજ છે મારી તકલીફના અનુંસંધાનમાં શું મારે સંતાન પ્રાપ્તિ માટે આ પધ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ?
જે નળી મોટી બની ગઈ છે તે ભાગ જયાં પેશાબ, વીર્ય જમા થાય છે અને હાથથી દબાવવાથી તે બહાર આવી જાય છે.
જવાબ :– તમારી મઅઝૂરીની સૂરતમાં સંતાન માટે કોઈ એવી પધ્ધતિ અપનાવવી કે જેમાં મિયાં બીવી વગર ત્રીજા માણસની જેમકે ડોકટરની મદદ લેવી પડે એ નાજાઈઝ છે, કારણ કે આ સૂરતમાં ઘણા નાજાઈઝ કામો કરવા પડે છે કે જે માત્ર સંતાન પ્રાપ્તિના હેતુ માટે જાઈઝ નથી થતાં, અલબત્ત જો તમો પોતે શીખીને કે ડોકટરને પૂછીને ઈંજેકશન દ્વારા તમારી પત્નીના ગર્ભાશયમાં તમારું પોતાનું વીર્ય તમો પોતે અથવા તમારી પત્ની પોતે મૂકે અને દાખલ કરે અને ગર્ભધારણ થાય અને આ કાર્યવાહીમાં કોઈ પણ ત્રીજા પુરુષ ડોકટર કે સ્ત્રીની મદદ ન લેવી પડે, બલ્કે આ કાર્યવાહીમાં માત્ર મિયાં બીવી જ શરીક હોય તો મજકૂર પધ્ધતિ અપનાવવાની ગુંજાઈશ છે.
(જદીદ મેડીકલ મસાઈલ, જવા. ફતાવા ર૧૦ ભા. ૧) (રહીમિય્યહ ભા.૬, જામિ. ફતાવા ૪૬૯ ભા.૧)
Log in or Register to save this content for later.