[૩૦૩] સંતાન પ્રાપ્તિ માટે બીજા વ્યકિતના વીર્યનો ઉપયોગ કરવો

Chapter : નિકાહ

(Page : 350-351)

સવાલઃ– અમુક સ્ત્રીઓને બાળક ન થવાને કારણે તેઓ ડોકટર પાસે એવા ઈંજેકશન લે છે જેમાં પારકા મર્દની મની હોય છે, તો આ ઈંજેકશન લેવું કેવું છે? અને ઈંજેકશન લીધા પછી બાળક પેદા થાય તો આ બાળક કેવું કહેવાય?

જવાબઃ– પરણેલી ઓરતને પતિમાં ખામી હોવાથી બાળક ન થતું હોય  તો બાળક પ્રાપ્તિ  માટે પારકા પુરુષનું વિર્ય ઈંજેકશન વડે લેવું એ નાજાઈઝ અને હરામ છે.

                આવી રીતે પરાયા પુરુષના વિર્યથી જન્મેલું બાળક હરામનું નહિ ગણાય, બલ્કે ઓરતના પતિનું ગણાશે, પરંતુ જો શવહર (પતિ) તે બાળક પોતાના વિર્યથી હોવાનો અને પોતાનું બાળક હોવાનો ઈનકાર કરી દે તો અમુક ચોક્કસ કાર્યવાહી પછી તે બાળક પતિનું ન હોવાનો ફેસલો કરવામાં આવશે.    (શામી – ર / જવા.ફતાવા ભા –૧)

Log in or Register to save this content for later.