[૩૦૦] પતિનું વીર્ય લઈ ઈન્જેકશન દ્વારા પત્નીના ગર્ભાશયમાં નાંખવું

Chapter : નિકાહ

(Page : 345-346-347)

સવાલઃ– મારી શાદી આજથી આઠ વર્ષ પહેલાં થઈ છે, મારી ઉમર ૩૩ વર્ષ છે અને મારી પત્નીની ઉમર ૩ર વર્ષ છે. બાળકો પેદા ન થવાથી અમે સ્ત્રી રોગોના નિષ્ણાંત લેડી ડોકટર પાસે તમામ રીપોર્ટ ચેક કરાવ્યા જેમાં પાર ઉતર્યા, પણ સફળતા ન મળી. હવે ડોકટરનું કહેવું છે કે તમારા બધા જ રિપોર્ટ નોર્મલ છે તે છતાં સફળતા ન મળે આશ્ચર્ય જનક છે, હવે છેલ્લે એક ટેસ્ટ કરાવ્યો કે સવારે સોહબત કર્યાના ૩ કલાકે ટેસ્ટ કર્યો, કાચની પટટી ઉપર પ્રવાહીનું નિરિક્ષણ સોનોગ્રાફી દ્વારા કર્યું તો લેડી ડોકટરે કહયું કે પરિક્ષણ દ્વારા માલૂમ પડયું કે સોહબત દરમિયાન પુરૂષ તથા સ્ત્રીના શુક્ર કોષોનું મિલન થાય છે, સાથે જ એક તેજાબ યુકત પ્રવાહી તમારા શુક્ર કોષોને મારી નાંખે છે, જેથી શુક્ર કોષો રહમદાની સુધી પહોંચતા નથી, ડોકટરે કહયું કે હવે તમારે અવલાદ પ્રાપ્ત કરવી હોય તો છેલ્લો ઉપાય આ છે કે તમારા વિર્યને અમદાવાદ લેબોરેટરીમાં લઈ જઈ તેના શુક્રાણુઓ અલગ કરી સાફ સુફ કરીને ૧ કલાકમાં લઈને આવો તેને હું તમારી પત્નીની રહમદાનીમાં ડાયરેક સીરીજથી મુકી આપું, જેથી હમલ રહી જાય, આ સાથે અમે નમાઝ પછી દુઆ પણ કરીએ છીએ, અવાર નવાર જમાઅતમાં પણ જાઉં છું, હવે છેલ્લે પત્નીની ઈચ્છાને વશ થઈ છેલ્લી કોશિશ કરીએ છીએ, પણ ઉપરની વિગત મુજબ હવે સવાલ આ છે કે અગર ડોકટર સ્ત્રી ગેર મુસ્લિમ હોય તો તેના દ્વારા આ કાર્ય વિર્યને સાફ કરી તેઓ બોટલમાં ભરી આપે જે લેડી ઓરત ડોકટરના હાથે મુકાવી શકાય ? ઈસ્લામમાં આ બાબત ઈજાઝત છે ?

નોંધ :– આજ કાલ બીજા પુરૂષનું વિર્ય અમુક સ્ત્રીઓને ઈન્જેકશન દ્વારા મુકે છે, જેથી આવનાર અવલાદ હરામ ગણાય છે, જેથી લેડી ડોકટરે આશ્વાસન આપતા કહયું કે તમો જાતે તમારું વિર્ય લેબોરેટરીમાં આપો અને જાતે જ લઈને આવો તમારા સામે જ હું તેને ઓરતની રહમદાનીમાં મુકી આપું. પછી શંકાને સ્થાન જ નથી, માટે જવાબ તાકીદે આપશો.

જવાબ :– પતિનું વિર્ય લઈ પત્નીના ગર્ભાશયમાં બચ્ચુ પ્રાપ્ત કરવાના હેતુથી તેને દાખલ કરવા અંગે એક મોઅતબર મોટા મુફતી સાહેબ આ પ્રમાણે લખે છે કે ”કીસી એક કી ભી શર્મગાહ ન ખુલે ઔર માદ્દાહ (મની)કે ઈખરાજ (નિકાલને), નીઝ રહમ (બચ્ચાદાની)મેં ઉસે દાખિલ કરનેકા ઐસા તરીકા ઈખ્તિયાર કિયા જાના મુમકિન હો કે જિસ્મેં શરઈ કબાહતેં ન હો તો ઉસૂલન યે અમલ હરામ ન હોગા; કયૂંકે ઈસ્કે હરામ હોનેકી કોઈ મઝબૂત વજહ નઝર નહીં આતી.

                અગર શોહર અઝ્‌લકે તરીકેસે (એટલે કે બીવીથી સંભોગ કરીને) અપના માદ્દહ ઈકઠ્‌ઠા કરકે ઔર ફિર વો (શોહર) ખુદ હી કીસી નલકી યા ઈન્જેકશનસે અપની બીવી કે રહમમેં દાખિલ કર દે તો યે શકલ જાઈઝ હોગી, જલક યા’ની હાથ કે ઝરીયાસે માદ્દહ નિકાલના આમ હાલાતમેં બિલ્‌ ઈત્તિફાક મમ્નૂઅ હે, લેકીન અગર ઈસ્કે ઝરીએ બચ્ચે કે પૈદા હોને કા કવી ઈમ્કાન હો તો જાઈઝ હોગા ઓર જલકકી (હાથ વડે વિર્ય કાઢવું) મુમાનઅત કી વજહ ઝિયાએ નુત્ફહ

(વિર્યની બરબાદી) ભી મરતફિઅ હો જાએગી, કયૂંકે યહાં નુત્ફહ કા ઝિયાઅ નહીં, બલ્કે ઉસે મુષમિર (ફળદાયી) બનાના હે, ઈસ ગર્જ કે લિયે જલક મમ્નૂઅ ન હોગા, મગર ઓરત કે જિસ્મસે ઈખરાજે માદ્દહ (વીર્ય કાઢવાની પધ્ધતિ) કી કોઈ ઐસી શકલ સમજ મેં નહીં આ રહી હે જિસ્સે કોઈ શરઈ કબાહત લાઝિમ ન આએ, અગર ઐસી કોઈ સૂરત મુમકિન હો તો ઉસ્કે ઝરીએ ઈખરાજે માદ્દહ કરકે ઔર શોહરકા માદ્દએ તવલીદ મિલાકર તવાલુદ (બાળકને જન્મ આપવાની) કી કોશિશ કરના ઉસૂલી તૌર પર શરઅન જાઈઝ હોગા, વરના નહીં”      (જદીદ મેડીકલ મસાઈલ)

                ઉપરોકત વિગતથી સમજી શકાય છે કે પતિ – પત્નીનું વિર્ય બહાર કાઢવામાં અને ફરી ઓરતની રહમદાનીમાં ભેગું કરવામાં કેટલા બધા એહતિયાતની જરૂરત છે. અને જાઈઝ સૂરત માટે કેટલી હદે સહાય લઈ શકાય છે.

Log in or Register to save this content for later.