Chapter : નિકાહ
(Page : 343-344-345)
સવાલઃ– મેં સાંભળ્યું છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ ફરમાવ્યું છે કે જે ઓરતને બાળક ન થતું હોય તેની સાથે નિકાહ ન કરવા જોઈએ, પરંતુ જો મર્દમાં જંતુની ખામી હોય અને કોઈ પણ ડોકટરી ઈલાજ ના હોય તો શું કરવું જોઈએ, ડોકટરનું કહેવું એવું છે કે કોઈ પણ બીજી મુસ્લિમ વ્યકિતનું વિર્ય લઈ તેનાથી બાળક પેદા કરો તો થઈ શકે, આ રીતે મુસ્લિમ અથવા ગેર મર્દનું વિર્ય લઈ બાળક પેદા કરવું જાઈઝ છે કે નહિ ? તેમજ ઓરતને પણ હર માસ હૈઝ વખતે દુખાવો સખત રહે છે, તો ડોકટરનું કહેવું છે કે ઓરતને બાળક થાય તો જ હૈઝનો દુખાવો બંધ થઈ શકે, બંનેના નિકાહ થયા લગભગ ૧૭ વર્ષ થઈ ગયા છે. બાળક નથી, જેથી પત્નીને માનસિક અસર રહે છે. તે વ્યકિત હવે વધારે સહન કરી શકે તેમ નથી, ગેર અથવા મુસ્લિમ વ્યકિતનું વિર્ય લઈને બાળક મેળવવાનું વિચારે છે. અને ઘરમાં પણ બાળક નથી તે બાબત અશાંતિ રહે છે. માટે જવાબ જલ્દી આપવા મહેરબાની.
જવાબઃ– નિકાહ પછી અવલાદનું પ્રાપ્ત થવું એ ખરેખર નિકાહના પવિત્ર હેતુઓમાંથી એક હેતુ છે અને ઈચ્છનિય છે, પરંતુ જો કુદરતી સંજોગોના લઈ પતિ – પત્નીના કુદરતી સંસારથી પોતાના વિર્યથી બાળક પેદા ન થાય તો એ માટે હકીમી કે ડોકટરી ઈલાજ કરવો જોઈએ કે બેમાંથી જેમાં પણ ખામી હોય તે દૂર થાય અને તે બંનેના જ વિર્યથી અવલાદ પ્રાપ્ત થાય.
બાકી અવલાદ પ્રાપ્તિ માટે પોતાના પતિ સિવાય બીજા મુસ્લિમ કે ગેર મુસ્લિમ મર્દના વિર્યની લેવડ–દેવડ કરવી અને તે વિર્યને પોતાની પત્નીની રહમદાનીમાં દાખલ કરવું અને તે માટેની હસ્ત્રક્રિયા કરવી એ બધી જ પ્રવૃત્તિઓ નાજાઈઝ અને હરામ છે. યુનાની કે ડોકટરી ઈલાજ છતાં પોતાના વિર્યથી અવલાદ પ્રાપ્ત ન થાય તો એવી પત્ની કે એવા પતિ સાથે નિકાહ કરવાથી કોઈ ગુનોહ નહિ થાય, બલ્કે પોતાની ઈઝઝત, આબરૂ પાકદામની જળવાય એ હેતુથી એ નિકાહ સવાબ પાત્ર ઠરશે અને અવલાદ પ્રાપ્તિના પ્રયાસો બદલ સવાબ મળશે.
Log in or Register to save this content for later.