Chapter : નિકાહ
(Page : 341)
સવાલઃ– અમારા સાંભળવામાં આવ્યું છે કે ગેર કોમને કલિમો પઢાવીને નિકાહ કરનારને બાર વર્ષના ગુનાહ માફ થઈ જાય છે અને જન્નતના હકદાર બનાવે છે. અને શીઅહ, લોટીયા લોકોની છોકરી સાથે નિકાહ કરવાથી દોઝખના રસ્તે લઈ જાય છે. તો શું આ બરાબર છે ?
જવાબઃ– ગેર કોમની છોકરી કે છોકરો આપમેળે પોતાની રાજી ખુશીથી ઈસ્લામ કબૂલ કરવા તૈયાર હોય તો તેના ઈસ્લામ કબૂલ કર્યા પછી, તેની સાથે નિકાહ થઈ શકે છે અને તેને કલિમો પઢાવવો ઘણું જ સવાબનું કામ છે, પરંતુ સવાલમાં લખેલી ફઝીલત કે બાર વરસના ગુનાહ માફ થાય છે, વિગેરે કોઈ ફઝીલત અહકરના ઈલ્મમાં નથી.
Log in or Register to save this content for later.