Chapter : નિકાહ
(Page : 338-339)
સવાલઃ– મેં ૭ વરસથી શાદી કરેલ છે મારી ઓરતને કમઝોરીના કારણે અથવા તો વારસાગત બીમારી પગની નસો ખેંચાવાની છે, અત્યાર સુધીમાં ૩ ડીલેવરી થઈ છે તો જયારે પણ હમલ રહે છે, ત્યારે આ બીમારી ઘણું જ જોર પકડે છે, તે લગભગ પહેલે મહીનેથી જ ચાલુ જાય છે તે ડીલેવરી થતાં સુધી અને તે આખી રાત જ પગ ખેંચાય છે, ડોકટરોની દવા ઘણા વખત કરવાથી કંઈ જ ફરક પડતો નથી. હમલ ના હોય ત્યારે પણ કાયમ જ આ બીમારી રહે છે, પણ દરરોજ નહીં, પ ટકા દિવસો રહે છે પણ જયારે હમલ રહે છે, ત્યારે તો દરરોજ જ આ તકલીફ ઘણું જ જોર પકડે છે.
હાલ ખાતે મારી ઓરતને અઢી મહીનાનો હમલ છે અને કમઝોરીના લઈને ઘણી જ તકલીફ દરરોજ થાય છે, આખી રાત એને પોતાને પણ ઉંઘ નથી આવતી અને આખા રૂમમાં તથા ખાટલા ઉપર એકદમ પગ પછાડા જ કરે છે અને ભલભલુ બકે છે, એના કારણે મને પણ ઉંઘ નથી આવતી.
અત્યારે ત્રીજા નંબરની છોકરી મારી ભગભગ આઠ મહીનાની છે અને હમલ અઢી મહીનાનો થઈ ગયો છે, બીજુ કે એક છાતીમાંથી દૂધ બિલ્કુલ આવતું નથી ખાલી જમણી છાતી જ ચાલુ છે, ડાબી છાતી ત્રીજી ડીલેવરી પછી કાયમી બંધ થઈ ગઈ છે, જેના લઈ બચ્ચાને દૂધ પણ પૂરું મળતું નથી, તો તે પણ પરેશાન કર્યા કરે છે તો હવે મારો વિચાર હમલ પડાવી નાખવાનો છે, અથવા ક્રિયેટન કરાવવાનો છે અને આ વિચાર એનો પણ છે, એ રડે છે અને કહે છે કે મારાથી હવે તકલીફ બરદાશ્ત થતી નથી હું આઠ મહીના કેવી રીતે કાઢીશ આનો ગમે તે કઈ ઉપાય કરો. તો આમાં શરીઅત શું ઈજાઝત આપે છે અને મારે હવે શું કરવું ? યોગ્ય જવાબ આપશોજી.
જવાબઃ– પ્રથમ ડોકટર કે હકીમનો ઈલાજ કરવો જોઈએ, વિના ઈલાજે હમલ પડાવી નાખવો જાઈઝ નથી, જો માહિર ડોકટર અને હકીમ અથવા વૈદના ઈલાજથી પણ આ તકલીફ દૂર ન થાય અને બચ્ચાના દૂધ ઉપર અસર પડે અને ઈલાજ છતાં તકલીફ કાયમ રહે તો હમલ ૧ર૦ દિવસનો થતાં પહેલાં પડાવવાની ગુંજાઈશ છે અને આવી તકલીફની સૂરતમાં ઓરત હામિલહ ન બને એવો કોઈ હંગામી ઉપાય કરી શકાય છે, ઓરતમાં બચ્ચું થવાની લાયકાત જ ન રહે એ પ્રમાણે ઈલાજ કરવો જેમકે બચ્ચાદાની કઢાવી નાખવી એ દુરસ્ત નથી. (શામી ૩૩૬ ભા. ૪ – ઝક.)
Log in or Register to save this content for later.