Chapter : નિકાહ
(Page : 335-336)
સવાલ :– મારા મિત્ર ઝૈદની સગાઈ હિન્દા નામની છોકરી સાથે થઈ હતી, થોડાક જ સમયમાં નિકાહ કરી આપવાનું મા–બાપે કહયું હતું, તેથી તેઓ છુટથી મળતા હતા અને કોઈ રોક ટોક ન હતી.
હવે અત્યારે બંનેના નિકાહ થયા નથી અને હિન્દાને ઝૈદથી હમલ રહી ગયો છે ઘરે ખબર પડતા માં–બાપે જલ્દીથી નિકાહ કરી આપવાનું કહયું છે.
હવે સવાલ એ છે કે આવા હમલનો શરીઅતમાં શું હુકમ છે?
(૧) તેણીએ હમલ પડાવી દેવો જોઈએ?
(ર) જો હમલ ના પડાવવામાં આવે અને બાળક પેદા થાય તો તે ઝિનાથી પેદા થયેલ બાળક ગણાશે કે પછી સામાન્ય બાળક જ ગણાશે?
(૩) ઝૈદ અને હિન્દાનો પુત્ર અલી છે, અમ્ર અને આતિકાની પૂત્રી ફાતેમા છે, ઝૈદે હિન્દાને તલાક આપી દીધી અને હિન્દાએ બીજા લગ્ન અમ્ર સાથે કર્યા, તો શું અલી અને ફાતિમાના નિકાહ થઈ શકે છે કે નહિ ?
જવાબ : (૧) જો હમલને ચાર મહિના પૂરા થઈ ગયા હોય તો તે પડાવવો જાઈઝ નથી. (શામી ર / ૩૮૦)
જવાબ : (ર) જો નિકાહ પહેલાં બાળક પેદા થાય અથવા નિકાહ પછી છ મહિના પહેલાં પેદા થાય તો તે બાળક ઝિનાનું કહેવાશે અને જો નિકાહ પછી છ મહિના પછી પેદા થાય તો પતિનું બાળક ગણાશે. (શામી ભા. ર)
જવાબ : (૩) પૂછેલી સૂરતમાં અલીના નિકાહ ફાતિમા સાથે જાઈઝ છે, શામીમાં છે કે પુરુષની માંના પતિની (બીજી ઓરતની) દિકરી સાથે પુરુષના નિકાહ જાઈઝ અને હલાલ છે. (શામી ભા.ર / ર૭૯)
Log in or Register to save this content for later.