Chapter : નિકાહ
(Page : 328-329)
સવાલઃ– મારી ઓરતને અત્યાર સુધી ૧ર સુવાવડો થઈ છે, છેલ્લી બે સુવાવડોમાં પ્રસુતિ વખતે ઘણી જ તકલીફ થાય છે, સાથે સાથે જયારથી હમલ રહે છે ત્યારથી ખોરાક ન લેવાવો, ઉલટીઓ બંધ ન થવી, ચક્કર આવવા વિ. જેવી શારિરીક તકલીફો પણ રહે છે, અત્યારે પણ લગભગ સવા મહિનાનો હમલ છે અને ઉપરોકત તકલીફો ચાલુ થઈ છે, તે પ્રસુતિ સુધી રહેશે.
તો આપ સાહબથી દર્યાફત તલબ વાત છે કે આવી હાલતના લઈ હમલ ઈસ્કાત કરાવી બાળકો ન થાય, હમલ ન રહે (ફેમીલી પ્લાનીંગ) તે માટેનું ઓપરેશન કરાવવાની શરીઅત ઈજાઝત આપે છે?
જવાબઃ– મોટા ભાગે ઓરતોને હમલ રહયા પછી સવાલમાં લખવા મુજબ કોઈને કોઈ તકલીફ તો રહે જ છે, માટે જો કોઈવાર ઉલટી થતી હોય અને ચક્કર આવતા હોય તો સવા માહિનાનો હમલ પણ ઈસકાત ન કરાવવો બેહતર અને એહતિયાત છે.
જો શારિરીક કમઝોરી વધુ હોય અને ઉલટી – ચક્કરની શિકાયત વારંવાર થવાથી વધુ તકલીફ થતી હોય તો સવા કે દોઢ, બે મહિનાનો હમલ ઈસકાત કરવો વિના કરાહતે જાઈઝ છે.
હવે પછી મજકૂર ઓરત હામિલહ ન બને એ માટે રહમદાનીનું ઓપરેશન કરાવવું જાઈઝ નથી. અલબત્ત સવાલમાં લખેલી વિગત મુજબ કોઈ એવી દવા ઉપયોગ કરવી અથવા કોઈ બીજો એવો હંગામી ઉપાય કરવો જાઈઝ છે, કે જે ઉપયોગ કરવાથી ઓરત હામિલહ ન બને.(દુ. મુખ્તાર શામી ભા.પ / ઈ. ફતાવા ભા. ૪ / કિ મુફતી ભા.પ)
Log in or Register to save this content for later.