Chapter : નિકાહ
(Page : 329-330)
સવાલ :– મારો એક મિત્ર ઈંગ્લેન્ડમાં છેલ્લા કેટલાક વર્ષોથી રહે છે, જેમણે શાદી કર્યાને ૪–પ વર્ષ થયા છે, તેમને ત્રણ બાળકો છે, બાળકોની પેદાઈશનો ગાળો દોઢ થી બે વર્ષનો છે. બાળકોના જન્મને લઈ એમની એહલિયાની તંદુરસ્તી કમઝોર થઈ ગઈ હતી, જેના ઉપાયમાં એમણે એમની ઓરતને કોયલ (આપણે ત્યાં લગભગ કોપર ”ત” થી ઓળખે છે) મુકાવી છે, જેનાથી ગર્ભ રહેતો નથી, જયારે ફરીવાર બાળકોની પેદાઈશનો ઈરાદો થાય ત્યારે કોયલ કાઢી લેવામાં આવે છે, તો આ વિષે શરઈ હુકમ જણાવશો.
જવાબઃ– વિલાદત પછીની સામાન્ય કમજોરીનો ઉપાય દવા અને ખોરાકથી કરવો જોઈએ. જો ગર્ભના કારણે તબિયત સતત ખરાબ રહે અને દૂધ પીતા બાળકને પણ દૂધ પીવામાં તકલીફ થાય તો બે વિલાદતો વચ્ચે અંતર વધારવા માટે હંગામી ઉપાય તરીકે અમુક સમય માટે કોયલ મુકાવવાની ગુંજાઈશ છે, પરંતુ હમેશાં માટે તેને રહેવા દેવી દુરસ્ત નથી. જરૂરત પૂરી થયેથી કાઢી નખાવવી જોઈએ. અને કોયલ સિવાય ટેબલેટ ઈંજેકશન વિ. જેવો કોઈ હંગામી ઉપાય ગર્ભરોધક તરીકે થઈ શકતો હોય તો કોયલ મુકાવવાના ઓપરેશનથી બચવું જોઈએ. કારણ કે વિના જરૂરતે ઓરતે પોતાના ગુપ્તાંગો મર્દ ડોકટર અથવા લેડી ડોકટર સામે ખુલ્લા મુકવા નાજાઈઝ છે. એ જ પ્રમાણે માત્ર સામાન્ય તકલીફ અને કમજોરીના બહાના હેઠળ સગવડિયા જીવનના હેતુથી હંગામી ગર્ભરોધક ઉપાય પણ ન અપનાવવો.
(શામી– ભાઃર,ભાઃ પ)
Log in or Register to save this content for later.