Chapter : નિકાહ
(Page : 320-321)
સવાલ :–(૧) મેં મારા છોકરાની અવરતને પગમાં પહેરવા માટે ઝાંઝરી આપી છે, તે ઝાંઝરી હું પોતે એટલે અવરતના સસરા સંજોગોનુસાર પરત લેવા માંગુ છું, તો તે ઝાંઝરી કોની કહેવાય? અને તે ઝાંઝરી હું પરત લઉં તો ગુનેહગાર થઈશ કે નહિ?
જવાબ :–(૧) છોકરા અથવા તેના બાપ તરફથી જે ઘરેણાં ઓરતને આપવામાં આવે છે, જો તે ઓરતની મહર તરીકે ન આપવામાં આવ્યા હોય તો સામાન્ય રીતે તેવા ઘરેણાં ઓરતને ફકત પહેરવાના ઉપયોગ માટે જ આપવામાં આવે છે, માલિકી ધોરણે નથી આપવામાં આવતા, માટે જો તે ઘરેણાં છોકરાના બાપે આપ્યા હોય તો તે તેમની માલિકીના ગણાશે અને તેઓ તે વાપરવા આપેલાં ઘરેણાં ઓરત પાસેથી પરત લઈ શકે છે અને પરત લેવાથી તેઓ ગુનેહગાર નહિ બને.
(શામી–ર/૩૬૩, ૪/પર૦, ઈ.મુફતીન – પ૬૦)
Log in or Register to save this content for later.