[ર૭૪] દઅવતની જગ્યાએ ગુનાહો થતા હોય તો તેમાં શરીક થવું

Chapter : નિકાહ

(Page : 317)

સવાલઃ–  મારા મહોલ્લામાં શાદી છે અને મારી રૂબરૂ મંડપમાં ફોટાઓ લેવાય છે અને આખી રાત વિડીયો કેસેટ ચાલે છે, તેની મને જાણ નથી તો તે શાદીનું ખાવું જાઈઝ છે કે નહિ, હલાલ છે કે હરામ ? તે શરઈ રૂએ બતાવવા મહેરબાની કરશો.

જવાબઃ– જયારે પહેલેથી જ જાણ હોય કે શાદીવાળા ઘરમાં અથવા ખાવાના મંડપમાં આ પ્રમાણેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે, તો એવી જગ્યાએ દાવત  ખાવા જવાથી બચવું જરૂરી છે અને જો પહેલેથી ખબર ન હોય અને ત્યાં પહોંચ્યા પછી જુએ અથવા જાણ થાય કે અહિંયા તો આવી ગુનાહિત પ્રવૃત્તિ થઈ રહી છે, તો દાવત ખાધા વગર ત્યાંથી ચાલ્યા જવું જોઈએ.         (શામી :પ/રર૦)

Log in or Register to save this content for later.