Chapter : નિકાહ
(Page : 311-312)
સવાલઃ– અમારે ત્યાં જમાઅત તરફથી એવો કાયદો બનાવ્યો છે કે જે કોઈ શાદીના મોકા ઉપર વિડીયો કેસેટ કરે, અથવા બીજા કોઈ રિવાજ શરીઅત વિરૂધ્ધ કરે તો જમાઅત એમના પાસેથી રૂા. પપ૧ દંડ લે છે, તો આ દંડરૂપે લીધેલા પૈસા મસ્જિદ–મદ્રસાના લિલ્લાહ કામમાં વાપરી શકે કે નહિ ? હવે કેટલા લોકો બધા રિવાજ કરી લે અને રૂા. પપ૧/– ભરી દે છે. તો કાંઈ એવો રિવાજ ન પડી જાય કે રૂપિયા પપ૧/–ના ઈવઝ કરતાં થઈ જાય, તો યોગ્ય રેહબરી કરી આપશો જે અવામ સામે મુકી શકાય.
જવાબઃ– ખોટા રિવાજો કરનાર પાસેથી માલી દંડ લેવો એ જાઈઝ નથી અને દંડની રકમ મસ્જિદ મદ્રસામાં વાપરવી એ પણ જાઈઝ નથી, બલ્કે મજકૂર રકમ જેની પાસેથી લીધી હોય તેને પરત આપવી જરૂરી છે. અને આવા ગલત અને ગુનાહિત રિવાજો રોકવા માટે બહિષ્કારની પધ્ધતિ અપનાવવી જોઈએ, એટલે કે બધા ગામવાળાઓ અથવા સમાજના લોકોએ મળી એવું બંધારણ અને કરાર કરવો જોઈએ કે જે શાદીમાં ખોટા અને ગુનાહિત રિવાજો કરવામાં આવશે તેવી શાદીમાં કોઈ શરીક નહિં થાય. (શામીઃ૧૭૮ ભા. ૩ / ભા. પ)
Log in or Register to save this content for later.