[પ૧ર] શાફઈ ઈમામ પાછળ વિત્ર

Chapter : નમાઝ

(Page : 525)

સવાલ :–શાફઈ ઈમામ રમઝાનુલ મુબારકમાં વિત્રની નમાઝ બે સલામોથી પઢાવે છે અને ત્રીજીરકઅતમાં દુઆએ કુનૂત પઢતા નથી અને ૧પ રમઝાન પછી વિત્રની ત્રીજી રકઅતમાં રૂકૂઅ કર્યા પછી કવમહમાં દુઆએ કુનૂત પઢે છે. તો શાફઈ ઈમામ પાછળ હનફી મુકતદીએ વિત્ર પઢવી જાઈઝ છે કે નહીં ? અગર હનફી મુકતદી વિત્રમાં દુઆએ કુનૂત ન પઢે તો હનફી મુકતદીની વિત્ર સહીહ થશે કે નહિ?

જવાબ :– જો શાફઈ ઈમામ વિત્રની નમાઝ એ રીતે પઢાવતા હોય કે એક સલામથી ત્રણ રકઅત પઢાવે અને વિત્રના તતવ્વુઅ કે મસ્નૂન હોવાની નિય્યત ન કરેે, બલ્કે માત્ર વિત્રની નિય્યત કરે અને નમાઝના ફર્ઝો અને શર્તોમાં હનફી મસલકની રિઆયત કરીને પઢાવે તો તેવા  શાફઈ ઈમામ પાછળ હનફી મુસલમાને વિત્રની નમાઝ રમઝાનમાં જમાઅત સાથે પઢવી જાઈઝ છે. હનફી મુકતદી રમઝાનના પહેલા પંદર દિવસમાં દુઆએ કુનૂત તરીકે કોઈ મુખ્તસર દુઆ પઢીને રૂકૂઅમાં ઈમામ સાહેબ સાથે થઈ જાય અને પાછલા પંદર દિવસોમાં ઈમામ સાથે કવમહમાં દુઆએ કુનૂત પઢી લે.    (હિદાયહ અવ્વલૈન / તહતાવી)

Log in or Register to save this content for later.