[પ૦૬] શાફઈ ઈમામ પાછળ વિત્ર

Chapter : નમાઝ

(Page : 520)

સવાલ : અહિંયા સઉદીયામાં અરબ મુસ્લિમભાઈઓ શાફઈ મઝહબ પ્રમાણે રમઝાનમાં ર૦ રકાત તરાવીહ પૂરી થયા બાદ વિત્રની ત્રણ રકાત નમાઝમાં બે રકાતનો અલગ કોલ બાંધી સલામ ફેરવે છે અને ત્રીજી રકાતનો પણ અલગ કોલ બાંધી સલામ ફેરવે છે તો હવે હિંદી, પાકિ.ભાઈઓ તો તરાવીહ પછી મસ્જિદથી દૂર એક જગ્યાએ અલગ જમાઅત કરે છે તો આ અલગ જમાઅત કરવી શરીઅતની રૂએ બરાબર છે ? કે પછી શાફઈ ઈમામની ઈકિતદા કરી લેવી જોઈએ ?

જવાબ : મજકૂર સૂરતમાં જયારે કે વિત્રની નમાઝમાં શાફઈ ઈમામ બે રકાત પર સલામ ફેરવીને એક રકાત અલગ પાડી પઢતા હોય તો હનફીઓએ વિત્રમાં એ પ્રમાણે વિત્ર પઢાવનારની પાછળ વિત્ર ન પઢવા જોઈએ કારણકે હનફી ફિકહ મુજબ વિત્ર અદા નહિ થાય. બલ્કે રમઝાનમાં અલગ જમાઅત કરી અથવા અલગ અલગ હનફી ફિકહ મુજબ પઢી લેવામાં આવે.

                જો જમાઅત કરવામાં આવે તો એ વાતનો ખ્યાલ રાખવામાં આવે કે એવી મસ્જિદમાં ન પઢવામાં આવે જયાં એક વખત વિત્રની જમાઅત થઈ ચૂકી છે. બલ્કે જે મસ્જિદમાં વિત્રની જમાઅત ન થઈ હોય ત્યાં  પઢે અથવા બીજી કોઈ અલગ જગ્યાએ જમાઅત કરવામાં આવે.(‘શામી ૧/૪૪૯, ‘કિફા. મુફતી ૯/૪૯૬)

Log in or Register to save this content for later.