Chapter : નમાઝ
(Page : 510)
સવાલ : શું વિત્રની નમાઝમાં સૂરએ કદ્ર, સૂરએ કાફિરૂન અને કુલ હુવલ્લાહ આ ત્રણ સૂરતો પઢવી સુન્નત છે ?
જવાબ : વિત્રની નમાઝની પહેલી રકાતમાં સૂરએ આલા (સબ્બિહિસ્મિ રબ્બિકલ્ આલા) અને બીજી રકાતમાં સૂરએ કાફિરૂન (કુલ્ યા અય્યુહલ્ કાફિરૂન) અને ત્રીજી રકાતમાં સૂરએ ઈખ્લાસ (કુલ્ હુવલ્લાહુ અહદ) પઢવી મુસ્તહબ છે અને સુન્નતથી સાબિત છે; પરંતુ વિત્રની નમાઝમાં મજકૂર સૂરતોની કિરાઅતને જરૂરી ન સમજવી જોઈએ. માટે મુસ્તહબ કિરાઅતની રિઆયત પણ કરવી જોઈએ અને સામાન્ય નમાઝીઓ તેને વાજિબ અને જરૂરી ન સમજી લે એટલે કદી કદી આ મુસ્તહબ કિરાઅતને છોડી બીજી સૂરતો પણ પઢવી જોઈએ.(‘શામી ૧/૪૪૭, ‘કબીરી ૪૧૪)
Log in or Register to save this content for later.