Chapter : નમાઝ
(Page : 519-520)
સવાલ : રમઝાનુલ મુબારકમાં જે ઈમામ ઈશાની નમાજ પઢાવે તે જ ઈમામે વિત્રની નમાઝ પઢાવવી જરૂરી છે અથવા એક ઈમામ ઈશા પઢાવે અને બીજા ઈમામ વિત્ર પઢાવે તો પણ જાઈઝ છે ? શું આ સૂરતમાં કોઈ વાંધો આવશે ?
જવાબ : ઈશા અને વિત્રની નમાઝ અલગ અલગ ઈમામ પઢાવે એ વિના કરાહતે જાઈઝ છે. બંને નમાઝોના ઈમામ એક હોવા જરૂરી નથી. મસ્જિદના નિયુકત ઈમામ રાજી હોય તો વિત્રની નમાઝ કે ઈશાની નમાઝ બીજા માણસ પણ પઢાવી શકે છે. અલબત્ત બહેતર આ છે કે બંને નમાઝો એક જ ઈમામ પઢાવે. (‘શામી ૧/૪૭૬)
Log in or Register to save this content for later.