[પ૦પ] ઈશા અને વિત્ર અલગ અલગ ઈમામે પઢાવવી જાઈઝ છે

Chapter : નમાઝ

(Page : 519-520)

સવાલ : રમઝાનુલ મુબારકમાં જે ઈમામ ઈશાની નમાજ પઢાવે તે જ ઈમામે વિત્રની નમાઝ પઢાવવી જરૂરી છે અથવા એક ઈમામ ઈશા પઢાવે અને બીજા ઈમામ વિત્ર પઢાવે તો પણ જાઈઝ છે ? શું આ સૂરતમાં કોઈ વાંધો આવશે ?

જવાબ : ઈશા અને વિત્રની નમાઝ અલગ અલગ ઈમામ પઢાવે એ વિના કરાહતે જાઈઝ છે. બંને નમાઝોના ઈમામ એક હોવા જરૂરી નથી. મસ્જિદના નિયુકત ઈમામ રાજી હોય તો વિત્રની નમાઝ કે ઈશાની નમાઝ બીજા માણસ પણ પઢાવી શકે છે. અલબત્ત બહેતર આ છે કે બંને નમાઝો એક જ ઈમામ પઢાવે.                           (‘શામી ૧/૪૭૬)

Log in or Register to save this content for later.