Chapter : નમાઝ
(Page : 466)
સવાલ : અહિંયા લંડનમાં હમારી મસ્જિદમાં ઘણાં સમયથી ચર્ચા ચાલે છે કે મસ્જિદના મિમ્બર ઉપર કુર્આન શરીફ રાખેલ હોય તો તેની સામે જે નમાઝ પઢતા હોય તેની નમાઝ થતી નથી. શું મિમ્બર ઉપર કુર્આન શરીફ મૂકવાથી કુર્આનની બેઅદબી થાય ? કારણ કે મિમ્બર ઉપર મોલ્વી સાહેબ ખુત્બા વખતે અથવા તકરીર વખતે બેસે છે.
જવાબ : મિમ્બર ઉપર કુર્આન શરીફ મૂકેલું હોય અને તેની સામે ઉભા રહીને નમાઝ પઢવામાં આવે તો નમાઝ કોઈ કરાહત વગર દુરૂસ્ત અને જાઈઝ છે. મિમ્બર ઉપર ઈમામ સા. પગ મુકતા હોય તે જગ્યા છોડીને કુર્આન શરીફ મૂકવું બેઅદબી નહિં ગણાય, બલ્કે ઉંચી જગ્યા સમજી અદબની નિય્યતથી જ મૂકવામાં આવે છે.(શામી : ૧/૪૩૮, આલમગીરી : પ/૩રર)
Log in or Register to save this content for later.