Chapter : કુરબાની
(Page : 390)
સવાલ :– કુરબાનીના જાનવર માટે બકરાનું વજન કરી કુરબાની માટે જાનવર ખરીદી શકાય? જો બકરાની કિંમત વજન પ્રમાણે નકકી કરી હોય તો શરઈ દ્રષ્ટિએ શું હુકમ છે?
જવાબ :– જાનવર ખરીદવા ઈચ્છતો માણસ પોતાને જે જાનવર પસંદ હોય તેની કિંમત જાનવર વેચનારને પૂછે. તે પછી જાનવર વેચનાર માણસ તે જાનવરનું વજન કરીને જાનવરની કિંમત નકકી કરવાના પોતે નકકી કરેલા માધ્યમ મુજબ જે કિમંત તે જાનવરની થતી હોય તે કિંમત ખરીદનારને બતાવે અને કુરબાની માટે ખરીદવા ઈચ્છતો માણસ તે કિંમત અથવા તેથી ઓછી કિંમતે જાનવર ખરીદવા રાજી હોવાથી વેચનારની રાજીખૂશી હોવાથી તેટલી કિંમતમાં જાનવર ખરીદી લે તો આ સૂરતથી કુરબાનીનું જાનવર ખરીદવું જાઈઝ છે, તેમાં કોઈ વાંધો નથી. (શામી – ૪)
Log in or Register to save this content for later.