Chapter : કુરબાની
(Page : 384-385)
સવાલઃ– કુરબાનીનું નાનું જાનવર બચપણથી ઘેર કુરબાનીની નિય્યતે રાખી ઉછેર્યુ. હવે હાલ તેને બદલી મોટું જાનવર લાવવું છે, તો તે પ્રમાણે કરી શકાય? જો બદલી લાવી શકાય તો તે જાનવરમાં મઝકૂર બદલેલ જાનવરના એક ભાગ સિવાય બાકીના ૬ ભાગ બીજાઓ તરફથી કિંમત વિના રાખી શકાય છે?
નોટઃ– અત્રે એ યાદ રહે કે નાના જાનવરની કિંમત હાલ વધુ આવતા તેના બદલે મોટું જાનવર લાવી તેમાં નાના જાનવરના બદલે એક ભાગ રાખતા વેચેલ નાના જાનવરની આવેલ કીંમતમાં વધારો બાકી પડે છે. જો કે ખર્ચ ઓછો થાય એ નિય્યત નથી.
જવાબઃ– મજકૂર નાના જાનવરની કુરબાનીની મન્નત માની નથી, બલ્કે તેની કુરબાની કરવાની ફકત નિય્યત જ કરી છે, માટે એ જ નાના જાનવરની કુરબાની જરૂરી નથી, તેને વેચીને મોટું જાનવર પણ લાવી શકાય છે અને મોટા જાનવરમાં ૬ ભાગ કિંમત લઈને રાખવાના હોય તો નાના જાનવરની આવેલી કિંમતમાંથી મોટા જાનવરમાં પોતાના એક ભાગની કિંમત બાદ કરતાં જે રકમ વધે તેનો સદકો કરી દેવો જોઈએ અને જો છ ભાગની કિંમત લીધા વિના બીજાઓને તે ભાગ આપવાના હોય તો સદકો કરવાની જરૂરત નથી. (બદાઈઅ–પ/૭ર)
Log in or Register to save this content for later.