Chapter : કુરબાની
(Page : 383)
સવાલ :– હમારી પાસે એક બકરો છે અને તે ઘરનો જ પાલવેલો છે અને તે ગઈ સાલ ૧રમી ઝુલહજ એટલે તાસી ઈદના દિવસનો છે તો હમારે એની કુરબાની કરવી કે નહિ? કે પહેલી ઈદે, બીજી ઈદે કરવી તે પણ જણાવશો અને જો કુરબાની ન થઈ શકે તો વેચીને બીજું જાનવર લાવી શકાય કે નહિ?
જવાબઃ– મજકૂર બકરાની કુરબાની કુરબાનીના ત્રણ દિવસોમાંથી કોઈ પણ દિવસે કરવી દુરસ્ત નથી, કારણ કે ઈસ્લામી વર્ષ ગણત્રીના તરીકા મુજબ આ બકરાની ઉમર ત્રીજા દિવસે પણ પૂરા એક વર્ષની થવી મુશ્કેલ છે.
Log in or Register to save this content for later.