[૩૦૮] કોઈના ખોવાયેલા જાનવરની કુરબાની

Chapter : કુરબાની

(Page : 382-383)

સવાલઃ– હમારા ગામમાં એક ગાય આવી છે અને તે અત્યારે પાંજરામાં છે અને આ ગાયનું એલાન કરવાથી કોઈ માલિક હજુ જાહેર થયો નથી. તો એ ગાય ખરીદી શકાય કે નહિ અને ખરીદયા પછી એ ગાયની કુરબાની કરે તો ચાલે કે નહિ, અને સંજોગ વસાત અગર કોઈ માલિક આવે તો તેને પાછી આપવી કે નહિ?

જવાબઃ– ગામના દીનદાર માણસોની એક કમિટી બનાવવામાં આવે તેઓ આજુ બાજુના ગામડાઓ અને નઝદીકના શહેરમાં એટલી મુદ્દત સુધી એલાન કરાવતા રહે કે જો તેનો કોઈ માલિક હોય તો તેને જાણ થઈ જાય અને આવીને નિશાની બતાવી લઈ જાય, જો અઠવાડિયું દસ દિવસ એલાન કરાવ્યા છતાં કોઈ માલિક જાહેર ન થાય તો તે શરઈ કમિટી યોગ્ય કિંમતમાં તે ગાય વેચી આપે અને ખરીદનાર આવી ગાયની કુરબાની કરી શકે છે અને મજકૂર કમિટી ગાયની કિંમત પોતાની પાસે અમાનત રાખે, વેચી આપ્યા બાદ કોઈ માલિક આવે તો હવે શરઈ દ્રષ્ટિએ તે ફકત કિંમત લેવાનો હકદાર છે, જાનવર ખરીદનારથી વાપસ લેવાનો હકદાર નથી અને જાનવરના ઘાસચારા બાબત જે ખર્ચ કમિટીને થયો હોય તે આપવાની પણ તેની જવાબદારી છે. હા, ખરીદનાર પોતે રાજીખુશીથી પોતાની કિંમત પાછી લઈ અસલ માલિકને જાનવર આપી દેવા તૈયાર હોય તો વાંધો નથી. અને જો મજકૂર તરીકાથી વેચાણ ન કરવામાં આવે તો અસલ માલિક જાનવર પાછુ લેવાનો હકદાર છે.          (આલમગીરી–ર/ર૯૧)

Log in or Register to save this content for later.