Chapter : કુરબાની
(Page : 381-382)
સવાલઃ– આ વર્ષે એક ભાઈ કુરબાની માટે બકરો ખરીદી લાવ્યા. ઈદને બે ત્રણ દિવસની વાર હતી, ઘેર આવ્યા પછી જણાયું કે તેના ગળામાં નાશૂર (કાણું) છે, જે જગા પર હલાલ કરવાનું હોય છે તે જગ્યા પર જ નાશૂર હતું, તો તે ભાઈએ એક આલિમને બોલાવી બતાવ્યું, આલિમે કહયું કે કુરબાની ન થવાની જે શરતો છે તેમાંની આ શરત નથી માટે કુરબાની થઈ જશે જેથી તે ભાઈએ કુરબાની કરી નાખી. તો શું એ કુરબાની સહીહ થઈ કે નહિ? તે જણાવશો.
જવાબઃ– મજકૂર કાણાને લઈને જાનવરને ખાવા પીવામાં કોઈ જાતની તકલીફ ન થતી હોય તો એવું જાનવર કુરબાનીમાં જાઈઝ છે.(શામી–પ/ર૦૭)
Log in or Register to save this content for later.