Chapter : કુરબાની
(Page : 380-381)
સવાલ :– કુરબાની માટે પાડો, બકરો, ઘેટો રાખેલો હોય અને તે ઈદ પહેલાં મરી (ગુજરી) જાય તો બીજુ જાનવર લેવું જરૂરી છે ? અને જરૂરી હોય તો શું કરવું ? આ માણસ ગરીબ છે, તેણે આ જાનવર તો ઘરનું પાલવેલુ હતું તો પછી એ ભાઈને શું કરવું ? તથા તે જાનવર મરી ગયું અને ઘણા લોકો એમ કહે છે કે દફન કરવું જોઈએ અને ઘણા લોકો કહે છે કે ચમારને આપી દેવું. તો એનો ઉપયોગ કરે, તો એ બેમાંથી કયો રસ્તો સહીહ છે ?
જવાબ :– ગરીબ માણસે પોતાના પાલતુ જાનવરમાં કુરબાનીની નિય્યત કરી તે નફલી કુરબાની હતી, તે જાનવર મરી જવાથી બીજું જાનવર ખરીદી કુરબાની કરવી જરૂરી નથી.
હા, અગર ગરીબે જુબાનથી એમ કહી આપ્યું હોય કે (અલ્લાહ ના વાસ્તે મારા પર આ જાનવરની કુરબાની વાજિબ છે) અથવા (મેં આ જાનવર કુરબાની માટે નકકી કરી આપ્યું, તો એ ચોકકસ જાનવરની કુરબાનીની મન્નત થઈ ગઈ અને એ જાનવરની કુરબાની વાજિબ હતી, પરંતુ ચોકકસ જે જાનવરની કુરબાની વાજિબ હતી એ મરી ગયું તો હવે એની જગ્યાએ બીજું ખરીદવું જરૂરી નથી.(દુ. મુખ્તાર શામી–પ/ર૦૩ થી ર૦૭)
જે જાનવર મરી ગયું તે હરામ છે, વેચાણથી કે મફત, જાનવરો કે માણસો ચાહે ગેર મુસ્લિમ હોય, તેનું માંસ ખવડાવી કોઈ રીતે ઉપયોગ કરવો જાઈઝ નથી. હા, તેનું ચામડું ઉતારી દબાગત દઈ (સફાઈ કરી) ઉપયોગ કરી શકાય છે, માટે એ જાનવરને દફન કરી આપવું અથવા જયાં મુરદાર જાનવરો ફેંકતા હોય ત્યાં મૂકી આવો બંનેવ સૂરતો જાઈઝ છે, પરંતુ કોઈ ચમારને આપવું ન જોઈએ, મેદાનમાં મુકી આવ્યા પછી કોઈ ચમાર તેનો ઉપયોગ કરે તે તેનું કૃત્ય છે. (નફઉલ મુફતી વસ્સાઈલ પ૬)
Log in or Register to save this content for later.