Chapter : કુરબાની
(Page : 378-379)
સવાલઃ– ગરીબ માણસ પોતાનું કુરબાનીનું જાનવર અથવા પોતાની કુરબાનીનો ભાગ બદલી શકે છે? અને જો બદલી શકતો હોય તો એની શું સૂરત અને શકલ છે ? અમે એક કિતાબમાં વાંચ્યુ છે કે જેવી રીતે માલદાર બદલી શકે છે અને બદલવાથી એક જ કુરબાની વાજિબ થાય છે, એવી જ રીતે ગરીબ માણસ પણ કોઈ કારણસર બદલી શકે છે તો તેની સૂરત શું છે?
જવાબ :– સર્વ પ્રથમ એ જાણી લેવું જોઈએ કે ગરીબ પર કુરબાનીની મન્નતથી કુરબાની વાજિબ થાય છે અને ગરીબની મન્નતના બે પ્રકાર છે, એક અમલી એટલે કુરબાનીના દિવસોમાં કુરબાનીની નિય્યતથી જાનવર ખરીદયું, આ સૂરતમાં ખરીદેલું જાનવર કુરબાની માટે નક્કી થઈ જાય છે, ન એને બદલી શકે છે ન વેચી શકે છે. અહીંયા સુધી કે જો કદાચ એ જાનવર ખોવાય જાય કે મરી જાય તો પણ મન્નત માટે એના નક્કી હોવાથી એને બીજા જાનવરની કુરબાની નહિ આપવી પડે અને ખોડ પૈદા થશે તો પણ ચાલી જશે.
બીજો પ્રકાર ઝુબાની છે : તેના બે પ્રકાર છે એક તો અનિશ્ચિત જાનવરની ઝુબાનથી મન્નત માને કે હું અલ્લાહના વાસ્તે એક બકરાની કે એક મોટા જાનવરની કુરબાની કરીશ, બીજો નિશ્ચિત જાનવરની ઝુબાનથી મન્નત માને કે હું આ બકરાની કે આ મોટા જાનવરની કુરબાની કરીશ તો આ બે પ્રકારમાંથી પેહલા પ્રકારમાં તે ખરીદેલું જાનવર નક્કી થતું નથી, તેને બદલી શકે છે અને જો તે ખોવાય, ચોરાય અથવા મરી જાય તો બીજા જાનવરની કુરબાની કરવી પડશે અને જો તેમાં કોઈ એવી ખોડ પૈદા થઈ જાય જે કુરબાનીમાં ન ચાલી શકે તો એને બીજુ જાનવર ખરીદી કુરબાની કરવી જરૂરી થઈ જશે.
અને બીજા પ્રકારમાં જે જાનવરની મન્નત માની છે તે નક્કી થઈ જાય છે તેને બદલી શકાય નહિ.(શામી–પ/રર૬,રર૭,રર૯)
અને ગરીબની મન્નતના આ ત્રણ પ્રકાર સિવાયની કુરબાની નફલ કુરબાની છે તેમાં કુરબાનીનું જાનવર ખરીદવાથી વાજિબ થતી નથી અને ન જાનવર નક્કી થાય છે તેને બદલી શકાય છે. આ વિગત સામે આવ્યા પછી હવે તમો નક્કી કરશો કે ગરીબની કઈ પ્રકારની કુરબાની છે અને તેને બદલવાનો હુકમ સમજી લેશો. (શામી–પ/રર૬, બદાઈઅ–પ/૬૩)
Log in or Register to save this content for later.