Chapter : કુરબાની
(Page : 377)
સવાલ :– એક ગરીબ માણસનો પોતાના ઘરનો બકરો છે અને એણે એક બકરાની કુરબાની કરવાની નિય્યત કરી છે અને બીજો બકરો એણે કોઈ માણસ પાસેથી કુરબાની કરવાની નિય્યતથી ખરીદ કર્યો, અને એને પેહલો બકરો જે પોતાનો હતો તે કુરબાનીમાં ફાવટ ન આવવાથી જ બીજો બકરો ખરીદયો છે, તો એ માણસ પર એક કુરબાની જરૂરી છે? અને એ બંનેમાંથી કયા બકરાની કુરબાની કરે ? અથવા બન્ન બકરાની કુરબાની કરવી જરૂરી છે?
જવાબઃ – જો ઘરના બકરાની કુરબાનીની ફકત નિય્યત કરી છે મન્નત નથી માની તો તેની કુરબાની આ ગરીબ માણસ પર વાજિબ નથી તે ખરીદ કરેલો બકરો તે કુરબાનીના દિવસોમાં કુરબાનીની નિય્યતથી ખરીદે તો તેની કુરબાની વાજિબ થઈ જાય છે અને ચોક્કસ તેજ બકરાની કરવી પડે એના બદલામાં બીજો ન ચાલે. (બદાઈઅ–પ/૭૮) અને જો કુરબાનીના દિવસો પેહલાં ખરીદયો છે અને ફકત નિય્યત કરી છે મન્નત નથી માની તો આ બીજા બકરાની કુરબાની પણ નફલ ગણાશે વાજિબ નહિ થાય. (શામી –પ/રર૬) આ વિગતથી પુછેલા સવાલોનો જવાબ ઝાહિર છે.
Log in or Register to save this content for later.