[૩૦ર] મારકણાં જાનવરની કુરબાની અને તેની તબદીલી

Chapter : કુરબાની

(Page : 376-377)

સવાલ :–  એક ભાઈએ કુરબાની માટે એક મોટું જાનવર ખરીદયું, જાનવરમાં કોઈ ઐબ (ખોડ) નથી, ફકત એ જાનવર બધાને મારે છે અને એના કારણે બાંધવા છોડવામાં તકલીફ છે અને તોફાની હોવાથી વસ્તુ તોડી ફોડી નાંખે છે, તો આ જાનવરને વેચી બીજું જાનવર લેવું જાઈઝ છે કે નહિ? ઓછી કિંમતનું બીજું જાનવર ખરીદી કુરબાની કરવી જાઈઝ છે કે નહિ?

જવાબ :– કુરબાનીના જાનવરનું મારકણું હોવું અને તોફાની હોવું એ કુરબાનીમાં અવરોધરૂપ ઐબ અને ખોડ નહિ ગણાય, એવા જાનવરની કુરબાની જાઈઝ છે, પરંતુ જાનવરના મારકણાં અને તોફાની હોવાના કારણે તેને વેચવું અને તેની જગ્યાએ બીજું જાનવર ખરીદવું એ પણ જાઈઝ છે, અલબત્ત, જો બીજું જાનવર ખરીદયા પછી પહેલા જાનવરની કિંમતમાંથી કોઈ રકમ વધે તો તે વધારાની રકમ કોઈ ગરીબ મુસલમાનને સદકહરૂપે આપી દેવી જોઈએ અને આ હુકમ નફલ તથા માલદારીની વાજિબ કુરબાનીના જાનવરનો છે, જો આ મારકણી નકકી જાનવરની કુરબાનીની મન્‍નત માની હોય તો તેને વેચવું અને બદલવું જાઈઝ નથી, બલ્કે તે જ જાનવરની કુરબાની કરી મન્‍નત પૂરી કરવી ઝરૂરી છે.   (શામી – પ, બાદઈઅ–૪)

Log in or Register to save this content for later.