[૩૦પ] ૧૧ ઝુલહજના જન્મેલો બકરો

Chapter : કુરબાની

(Page : 379-380)

સવાલ :– એક જગ્યાએ ૧૧ ઝુલહજના બપોરે રઃ૦૦ વાગ્યે બકરાનો જન્મ થયો, તો આ બકરાની કુરબાની આવતી ઈદના દિવસે થઈ શકે  કે કેમ? અને કુરબાની થાય તો કેમ થઈ શકે ? અને ના થાય તો કેમ ના થઈ શકે?

                કારણ કે આ માણસ જેના ત્યાં બકરાનો જન્મ થયો છે તે માણસ કહે છે કે મારે આ જ બકરાની કુરબાની આપવી છે.

જવાબઃ– જે બકરાનો જન્મ ચાલુ વર્ષની ૧૧ ઝુલ્‌હજના થયો તેની કુરબાની આવતા વર્ષે કુરબાનીના ત્રણ દિવસો ૧૦, ૧૧, ૧ર ઝુલ્‌હજમાંથી ૧ર મી ઝુલ્‌હજના થઈ શકે છે, કારણ કે બકરાનું કુરબાની માટે એક વરસનું હોવું જરૂરી છે અને ઈસ્લામી વર્ષ ગણત્રીના મસ્અલાઓમાં સાહિબૈન (રહ.) ના તરીકા મુજબ આ બકરાનું એક વરસ પુરું થઈ જશે.

                એહતિયાત રાખી બેહતર એ છે કે આ બકરાની કુરબાની ન કરવામાં આવે, કારણ કે ઈમામ અબૂ હનીફહ (રહ.)ના ઈસ્લામી મહિના અને વરસ ગણત્રીના તરીકા મુજબ આ બકરાની ઉમર ૧રમી ઝુલહજે પણ એક વરસની પૂરી થતી નથી અને કુરબાનીમાં અફઝલ એ છે કે એવી ઉમરના જાનવરની કુરબાની કરવામાં આવે જે શરીઅતે નક્કી કરેલ ઉમર કરતાં થોડી મોટી ઉમરનું હોય. (શામી ભાઃર પેજ ૬૦ર, આલમગીરી પ/ર૯૭)

Log in or Register to save this content for later.