Chapter : કુરબાની
(Page : 391)
સવાલ :– બકરાઈદના જાનવરમાં ફેરફાર થઈ જવાથી કુરબાની થશે કે નહિ? વિગત એવી છે કે અડોશ પડોશ બે કાકા ભાઈ રહે છે, અને જાનવર બાંધવાની જગા એક જ છે. ઈદના દિવસે સુલેમાનનો બકરો ભૂલથી યાકૂબે કુરબાની કરાવી નાખ્યો, પછી સુલેમાન કુરબાની માટે બકરો લેવા ગયો તો બકરો ન હતો. જોયું કે સામે જ યાકૂબે કુરબાની કરી નાંખી તો યાકૂબે કહયું કે ભૂલમાં આવું થયું છે. તમે મારો બકરો કુરબાની કરી લો પછી સુલેમાને યાકૂબનો બકરો લઈ કુરબાની કરી તો શું આ પ્રમાણે થવાથી કુરબાની સહીહ થશે કે બન્નવે બીજી કુરબાની કરવી પડશે ?
જવાબ :– જો યાકૂબે તેના બકરાની કરેલી કુરબાનીને સુલેમાન પોતાના તરફથી માન્ય રાખત તો તે કુરબાની સુલેમાન તરફથી દુરસ્ત થએલી ગણવામાં આવત. અને યાકૂબ પોતાના બકરાની કુરબાની પોતાના તરફથી કરી શકત અને આ પ્રમાણે સુલેમાન અને યાકૂબ બંન્નના બકરાની કુરબાની બન્નવ તરફથી જાઈઝ અને દુરસ્ત થઈ જતે. અને આ સૂરત પણ જાઈઝ હતી કે સુલેમાન યાકૂબ પાસેથી પોતાના બકરાની કિંમતની માંગણી કરે અને કિંમત પેટે યાકૂબનો બકરો લઈને પોતાના તરફથી તેની કુરબાની કરી આપે. આ સૂરતમાં સુલેમાનના બકરાની કુરબાની યાકૂબ તરફથી દુરસ્ત થયેલી ગણાશે અને યાકૂબવાળા બકરાની કુરબાની સુલેમાન તરફથી દુરસ્ત થએલી ગણાશે અને બન્ન સૂરતોમાં બેમાંથી કોઈએ પણ બીજી કુરબાની નહિ આપવી પડે. (શામી – પ/ર૧૦)
Log in or Register to save this content for later.