[૧૯૧] સાસુને શહવત સાથે અડકવું

Chapter : નિકાહ

(Page : 232-233)

સવાલ :–(૧) શહવતની નિય્યતથી સાસુને હાથ લગાડવાથી અને કોઈ ભાગ દબાવવાથી નિકાહમાં રહેલ છોકરી (ઓરત)નો નિકાહ તૂટી જાય છે?

જવાબ :– (૧) શહવતની નિય્યતથી સાસુને એવી રીતે હાથ લગાડવો અથવા કોઈ ભાગને એવી રીતે દબાવ્યો કે વચમાં કપડું અથવા બીજી કોઈ વસ્તુની આડ ન હોય કે એક બીજાના શરીરની ગરમી પહોંચતી હોય તો પત્નિ નિકાહમાંથી નીકળી જશે. અને આડ એવી વસ્તુની હોય કે એક શરીરની ગરમી બીજા શરીરને પહોંચતી ન હોય તો પત્નિ નિકાહમાંથી નીકળશે નહીં, એવી જ રીતે હાથ લગાવતી વખતે અથવા કોઈ ભાગને દબાવતી વખતે વીર્ય નીકળી જાય તો પણ પત્નિ નિકાહમાંથી નીકળશે નહીં.             (શામી–ર)

સવાલ :–(ર) ઓરત નિકાહમાંથી નીકળી ગઈ?

જવાબ :–(ર) ઓરત નિકાહમાંથી નીકળી ગઈ.

સવાલ :–(૩) તેજ ઓરતથી બીજી વખત નિકાહ પઢી શકાય?

જવાબ :–(૩) તેજ ઓરતથી બીજી વખત નિકાહ નહીં પઢી શકાય. (શામી–ર)

સવાલ :–(૪) નિકાહ બીજી વખત પઢવા પડશે?

સવાલ :–(પ) નિકાહ માટે મહર – શાહિદ વકીલની જરૂરત પડશે?

જવાબ :–(૪–પ) નિકાહ બીજી વખત પઢી શકાશે નહીં

સવાલ :–(૬) આ નાપાક અને મનહૂસ કર્તવ્યથી કોઈ છૂટકારો છે?

સવાલ :–(૭) આ કર્તવ્યની માફીનું શું છે?

જવાબ :–(૬–૭) આ નાપાક અને મનહૂસ કર્તવ્યથી છુટકારો અને માફી સાચી તૌબા અને ઈસ્તિગફાર છે, નિરાશ થવાની જરૂર નથી. દુનિયામાં કુફ્ર શિર્ક જેવો મોટો ગુનાહ પણ તવબહ ઈસ્તિગફારથી મઆફ થઈ જાય છે.

Log in or Register to save this content for later.