Chapter : નિકાહ
(Page : 233-234)
સવાલઃ– એક ઓરત રાતના પોતાની નણંદ સાથે સુતી હતી, ત્યારે રાત્રે છાતી પર હાથ પડયો તો એમ સમજી કે મારી નણંદનો હાથ પડયો હશે એટલે ધ્યાનમાં ન લીધું પણ બીજા દિવસે પણ હાથ પડયો પોતાની છાતી પર તો તરત જાગી ગઈ અને જોયું તો પોતાના સસરા હતા, તો તરત જ એણે કહયું કે આ રીતે મારા સાથે કેમ વર્તાવ કરો છો? આ રીતે ત્યાં જ શાબ્દિક ટપાટપી થઈ તો શું ઓરત પોતાના છોકરા માટે હરામ થઈ જાય છે કે પછી નિકાહમાં ચાલુ રહેશે? ખુલાસા વાર જવાબ આપશો.
જવાબઃ– સસરાએ ઓરતના શરીરના જે ભાગ ઉપર હાથ લગાડયો જો તે ભાગ ઉપર એવું કપડું હતું કે હાથની ગરમી બદન સુધી ન પહોંચે તો સસરાએ ચાહે શહવત સાથે હાથ લગાવ્યો હોય, પણ ઓરત તેના પતિ માટે હરામ નહીં થાય. અને જો ઓરતના શરીરના મજકૂર ભાગ ઉપર કોઈ કપડું ન હતું, અથવા હતું પણ એવું પાતળું કપડું હતું કે હાથની ગરમી શરીર સુધી પહોંચી જાય અને સસરા શહવત સાથે હાથ લગાડવાનો સ્વીકાર પણ કરે તો આ સૂરતમાં છોકરાની ઓરત છોકરા માટે હરામ થઈ જશે. અને તેણે તે ઓરતને છોડી દેવી જરૂરી બનશે.
Log in or Register to save this content for later.