Chapter : નિકાહ
(Page : 236)
સવાલ :– એક ભાઈની ઓરતની મા નવી છે અને નવી માને પણ સામાન્ય રીતે સાસુ જ ગણવામાં આવે છે, તો શું જમાઈ તેણીને ચુંબન કરે અથવા તેણીથી સોહબત કરી લે તો પોતાની ઓરતથી તેના નિકાહ તૂટી જશે?
જવાબ :– પોતાની ઓરતની નવી મા સાથે આ પ્રમાણે વર્તન કરવું હરામ, સખત ગુનાહિત અને બેહયાઈનું કૃત્ય છે, પરંતુ જો તે સાસુ ઓરતની સગી મા ન હોય તો પોતાની ઓરત સાથેના નિકાહ નહિ તૂટે અને તેના ઉપર કોઈ અસર નહિ થાય, કારણ કે મજકૂર નવી માં પોતાની ઓરતના ઉસૂલમાંથી નથી. (શામી–ર)
Log in or Register to save this content for later.