Chapter : નિકાહ
(Page : 224-225)
સવાલ :– એક માણસે રાત્રે અંધારામાં પોતાની ઓરત સમજીને ભૂલથી પોતાની યુવાન પુત્રીને તેના શરીર ઉપર શહવત સાથે હાથ ફેરવ્યો, છોકરીએ ફરાક પહેરેલું હતું અને જાડી ચાદર ઓઢેલી હતી, પરંતુ ચહેરો ખુલ્લો હતો એટલે કપડાં ઉપર હાથ લાગ્યો અને ખુલ્લા ગાલ ઉપર હાથ લાગ્યો. સવારમાં ખબર પડી કે તેની પત્નીને બદલે તે તો તેની છોકરી હતી. આવી ભૂલ પથારી બદલાવાથી અને અંધારૂ હોવાથી થઈ, તો હવે મજકૂર માણસ માટે તેની પત્નીનો શું હુકમ છે?
જવાબ :– અંધારામાં ભૂલથી પણ પોતાની જુવાન છોકરીને પોતાની ઓરત સમજીને તેણીના ખુલ્લા ગાલ ઉપર બાપના શહવતની હાલતમાં હાથ ફેરવવાથી હુરમતે મુસાહરત સાબિત થઈ જશે અને આ હુરમત સાબિત થઈ જવાથી પોતાની પત્ની સાથે પઢેલા નિકાહ ફાસિદ થઈ જશે. માટે મજકૂર પતિએ પોતાની પત્નીને કહી આપવું જોઈએ કે ”આજથી હું તને પત્નીના સંબંધમાંથી છોડી રહયો છું અથવા મેં તને તલાક આપી દીધી” આ પ્રમાણે કહયા પછી ઓરતની ઈદ્દત પૂરી થયેથી ફાસિદ નિકાહ પણ સંપૂર્ણ ખતમ થઈ જશે અને ઓરત બીજી જગ્યાએ શાદી કરી શકશે.(શામી–ર/ર૮ર, ર૮૩)
Log in or Register to save this content for later.