Chapter : કુરબાની
(Page : 373-374)
સવાલઃ– ગાય જેવા મોટા જાનવરનો વેપાર કરતા વેપારી ઘાસચારા માટે જાનવરોને ગામમાં છોડી મૂકે છે. અને ખાટકી તેની પાસેથી ખરીદીને તે જાનવર ઝબહ કરી ગોશ્તનો ધંધો કરે છે. તો આપણા માટે આવા જાનવરનો ગોશ્ત ખરીદીને ખાવો જાઈઝ છે કે નહિ અને આ પ્રકારનો નાજાઈઝ ચારો ચરતા જાનવર વેપારી પાસેથી કુરબાની માટે ખરીદી શકાય કે નહિ?
જવાબઃ– બીજાના માલને નુકસાન કરે એ રીતે દિવસે કે રાતે પોતાના જાનવરો છોડી મૂકવા જાઈઝ નથી, પરંતુ આ પ્રમાણે છોડી મૂકવામાં આવેલા જાનવરોએ ખરેખર બીજાની માલિકીનો ઘાસચારો ખાધો હોય અથવા બીજાનો ઘાસચારો ખાધો હોવાની સંભાવના હોય તો તે જાનવર અને તેનો ગોશ્ત હરામ નહિ ગણાય. માટે આ પ્રકારનું જાનવર કુરબાની માટે ખરીદવું અને ખાટકી પાસેથી આવા જાનવરનો ગોશ્ત ખરીદવો અને ખાવો જાઈઝ છે. અલબત્ત, આવા જાનવરની કુરબાની કરવાથી અને ગોશ્ત ખાવાથી બચવું એ તકવા અને પરહેઝગારીની વાત છે. (બઝાઝિય્યહ / અશ્બાહ)
Log in or Register to save this content for later.