Chapter : કુરબાની
(Page : 372-373)
સવાલ :– અહિંઆ એક માણસનો બકરો એ પ્રમાણે બીમાર થયો હતો કે તેને ચકકર આવતા હતા અને પડી જતો હતો, બકરાના માલિકને એક ગેર મુસ્લિમે ઈલાજ બતાવ્યો કે તમો બકરાને પ૦૦ ગ્રામ ગરમ દારૂ પીવડાવો, તેનાથી બકરાની આ બીમારી દૂર થઈ જશે, તે માણસે આ ભાઈના કહેવા મુજબ બકરાને દારૂ પીવડાવ્યું અને બકરો ચાર દિવસ પછી તંદુરસ્ત થઈ ગયો. હવે આ બકરાની કુરબાની આપવી દુરસ્ત છે કે નહિ અને જો તેની કુરબાની આપવી દુરસ્ત ન હોય તો તેને ઝબહ કરી મટન વેચવું અને ખાવું આપણા માટે જાઈઝ છે કે નહિ?
જવાબઃ– બીમાર બકરાની બીમારીના ઉપાય તરીકે પણ દારૂનો ઉપયોગ કરવો જાઈઝ નથી. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ શરાબથી કોઈ પણ પ્રકારનો ફાયદો ઉઠાવવાની મનાઈ ફરમાવી છે. માટે બકરાની આવી બીમારી માટે બીજો કોઈ જાઈઝ ઉપાય અને હલાલ દવા તલાશ કરવી જોઈએ. મજકૂર નાજાઈઝ ઉપાય કરી લેવા બદલ તવબહ ઈસ્તિગફાર કરવો જોઈએ. (મબસૂત –૪/ર૪, નફ. મુફતી–પ૬)
બકરાને દારૂ પીવડાવવાથી તેના ગોશ્તમાં કોઈ નાપાકી કે હુરમત પેદા થઈ નથી, માટે આવા બકરાની કુરબાની કરવી જાઈઝ છે, અને તેને શરઈ તરીકા મુજબ ઝબહ કરી તેનો ગોશ્ત વેચવો અને ખાવો પણ જાઈઝ છે. (શામી ભા.પ)
Log in or Register to save this content for later.