Chapter : કુરબાની
(Page : 372)
સવાલ :– અમારા બકરાના શિંગડામાં ફાટ પડી હતી અને તેમાંથી લોહી વહેતું હતું, પરંતુ હાલ તે ફાટમાં લોહી જામી ગયેલ છે. તો આ જાનવર કુરબાની માટે લાયક ગણાય કે નહિ?
જવાબ :– સવાલની વિગતથી માલૂમ પડે છે કે બકરાના શિંગડામાં ફાટ પડી હતી તે પૂરાઈ ગઈ છે. અને શિંગડાનો કોઈ ભાગ તૂટીને અલગ થવાથી તે શિંગડું અધૂરું થયું નથી, માટે તેની કુરબાની જાઈઝ છે. અલબત્ત, હજુ કુરબાનીને ઘણો સમય બાકી છે માટે એ પ્રમાણે કોઈ એવો ઈલાજ કરવો જોઈએ કે જેનાથી શિંગડું બરાબર મજબૂત થઈ જાય. (શામી ભા.પ)
Log in or Register to save this content for later.