Chapter : કુરબાની
(Page : 368)
સવાલઃ– કુરબાનીના જાનવરને હડકાયા કૂતરાએ કરડયું છે અને ડોકટરનું કહેવું છે કે આવા કરડેલા જાનવરનો ગોશ્ત ખાનારને ગમે ત્યારે નુકસાન થવાનો ભય રહે છે, તો હવે આવા જાનવરની કુરબાની કરી શકાય કે નહિ ? જો તેની કુરબાની ન થઈ શકે તો તે જાનવરને શું કરવું જોઈએ અને આ જાનવરનો માલિક ચાર મહિનાની તબ્લીગી જમાઅતમાં છે તો તેના ઉપર કુરબાની વાજિબ થશે કે નહિ?
જવાબ :– હડકાયા કૂતરાના કરડવાથી મઝકૂર જાનવરમાં એવી ખોડ પેદા થઈ ચૂકી છે કે હવે તે જાનવરથી સંપૂર્ણ રીતે લાભ ઉઠાવવો મુશ્કેલ છે અને આવી ખોડ કુરબાની માટે અવરોધ રૂપ છે માટે મજકૂર ખોડ વાળા જાનવરની કુરબાની જાઈઝ નથી, જો માલિક આ જાનવરથી કોઈ પણ પ્રકારનો લાભ લેવા ન ઈચ્છે તો તેને ઝબહ કરીને દફન કરી આપે અથવા તેનું ચામડું ઉતારીને તેનો ગોશ્ત દફન કરી આપે અને જો તેનો ગોશ્ત વેચવા ચાહે તો મજકૂર ખોડની ચોખવટ કરીને ગોશ્ત વેચી શકે છે અને મજકૂર ખોડની ચોખવટ કરીને તેને સજીવન હાલતમાં પણ વેચી શકે છે. (આલમગીરી– પ/ર૯૯, શામી/૪)
જો માલિક તબ્લીગી જમાઅતમા હોવાથી મુસાફિર હશે તો તેના ઉપર કુરબાની વાજિબ નથી અને માલદાર મુકીમ હશે તો કુરબાની વાજિબ છે.
Log in or Register to save this content for later.