[ર૮૭] ૧૧મી ઝૂલહજના જન્મેલ બકરાની કુરબાની

Chapter : કુરબાની

(Page : 363)

સવાલઃ– એક બકરો છે જેનો જન્મ ગયા વર્ષની બકરાઈદના બીજા દિવસે એટલે કે ૧૧મી ઝૂલહજના થયો હતો તો મઝકૂર બકરાની કુરબાની ચાલુ વર્ષે બકરા ઈદના મોકા પર કરી શકાય કે નહિ?

જવાબઃ– મઝકૂર બકરાની કુરબાની જે ગયા વર્ષની ઈદના બીજા દિવસે એટલે કે ૧૧મી ઝૂલહજના ગુરૂબે આફતાબ પહેલાં પેદા થયો હતો તેની કુરબાની ચાલુ વર્ષની ઈદ માટે ઈદના ત્રીજા દિવસે એટલે કે ૧રમી ઝુલહજના દિવસે ગુરૂબે આફતાબ પહેલાં તે સમય વીતી ગયા પછી કરી શકાય છે, જે સમયે તે ગયા વર્ષે પેદા થયો હતો અને જો ગયા વરસનો ઝુલહજ મહિનો પૂરા ત્રીસ દિવસનો થયો હોય તો એ વાતની પણ ગુંજાઈશ છે કે ગયા વરસે ૧૧મી ઝુલહજના દિવસે જે સમયે આ બકરો જન્મ્યો હોય, ચાલુ વર્ષે ૧૧મી ઝુલહજના દિવસે તે સમય વીતી ગયા પછી તેની કુરબાની કરવામાં આવે. કારણ કે મઝકૂર સૂરતમાં તેની ઉમરનું એક ઈસ્લામી વર્ષ પૂરું થઈ જાય છે, બાકી આ સૂરતમાં ૧૧મી ઝુલહજના દિવસે તે સમયથી પહેલાં તેની કુરબાની કરવી દુરસ્ત નથી. કારણ કે તેની ઉમર પૂરા એક ઈસ્લામી વર્ષની પણ થતી નથી. (બદાઈઅ–પ/૭૦, શામી–ર/૬૦ર, પ/૩ર)

Log in or Register to save this content for later.