Chapter : કુરબાની
(Page : 362)
સવાલ :– કુરબાનીનું જાનવર હલાલ કરતી વખતે જમીન પર ફેંકતા શીંગડું – પાંસળી કે પગ તૂટી જાય તો એ જાનવરની કુરબાની જાઈઝ ગણાશે કે નહિ?
જવાબ :– કુરબાની માટે જાનવરને જમીન ઉપર સૂવાડતાં સવાલમાં લખવા મુજબ કોઈ એવી ખોડ પેદા થઈ જાય કે જે કુરબાનીના જાનવરમાં ચાલી શકે તેમ ન હોય તો પણ તે જાનવર ઝબહ કરવાથી કુરબાની અદા થઈ જશે. અલબત્ત, ઝબહ માટે જાનવરને જમીન ઉપર સૂવાડવામાં એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે જાનવરને વધુ તકલીફ ન થાય. (શામી–પ/ર૦૭)
Log in or Register to save this content for later.