[ર૮૩] કુરબાનીના જાનવરમાં ખોડ પેદા થવાથી બીજું જાનવર તેથી સસ્તામાં ખરીદવું

Chapter : કુરબાની

(Page : 360-361)

 સવાલ :– એક માલદાર માણસે કુરબાની કરવાની નિય્યતથી એક બકરો ખરીદ કર્યો. ઈદના દિવસે તેમાં કોઈ એવી એબ (ખોડ) પેદા થઈ ગઈ જેના લઈ હવે તે બકરો કુરબાની લાયક રહયો નથી. જેથી બીજો એક બકરો ખરીદ કર્યો. હવે પૂછવાનું એ કે પહેલા બકરાની ખરીદ કિંમત ૪પપ રૂપિયા હતી અને બીજા બકરાની ખરીદ કિંમત ૪૧પ રૂા. થઈ તો બન્‍નવની ખરીદ કિંમતમાં જે ૪૦ રૂપિયાનો તફાવત પડયો તેનું શું કરવું? શું રૂપિયા ચાળીસનો સદકો કરવો પડશે?

જવાબ :– માલદારે ખરીદેલા પહેલા જાનવરમાં કુરબાનીમાં અવરોધરૂપ બને એવી ખોડ પેદા થવાથી હવે તે કુરબાની લાયક રહયું નથી અને શરીઅતના હુકમ મુજબ તેની જગ્યાએ બીજો બકરો ખરીદ કરવામાં આવ્યો છે, પોતાના માલી ફાયદા માટે કુરબાનીનું જાનવર બદલવામાં નથી આવ્યું, માટે મજકૂર સૂરતમાં ચાહે બીજા બકરાની કિંમત પહેલા બકરા કરતાં ઓછી છે, પરંતુ રૂપિયા ચાળીસનો સદકો કરવો જરૂરી નથી.          (દુ.મુખ્તાર શામી–પ/ર૦૭)

Log in or Register to save this content for later.