[ર૮૦] ઈદના દિવસે જન્મેલા બકરાની કુરબાની

Chapter : કુરબાની

(Page : 358)

સવાલઃ– અમારા બે ચાર મિત્રોમાં કુરબાની બાબત બકરાની ઉમર વિષે ચર્ચા થઈ. એકે કહયું કે ઈદના દિવસે જે બકરો પેદા થાય તે બકરાની કુરબાની આવતા વર્ષે વાસી ઈદના (ઈદના બીજા દિવસે) થઈ શકતી નથી, કારણ કે ઈસ્લામી મહિનાના હિસાબે દરેક મહિનાનો ચાંદ પૂરા દિવસનો થતો નથી એટલે કે એક વર્ષ પુરું થતું નથી. જયારે બીજા ભાઈઓ કહે છે કે થઈ શકે છે, તો આ બાબત વિગતથી સમજાવશો.

જવાબઃ– એવા બકરાની કુરબાની ઈદના બીજા દિવસે કરી શકાય છે. કારણ કે વચ્ચેના મહિનાઓ (મોર્હરમથી લઈ ઝૂ કઅદહ સુધી) ચાંદથી ગણવામાં આવે અને પહેલો મહિનો એટલે ઝૂલહજ ૩૦ દિવસોની ગણત્રીથી પૂરો કરવામાં આવે તો ઝૂલહજના ત્રીસા હોવાની સૂરતમાં એક વર્ષ પૂરું થઈ બીજું વર્ષ શરૂ થઈ જાય છે જેમકે ઈસ્લામી વર્ષથી સંબંધિત બીજા મસાઈલમાં વર્ષની ગણત્રી બાબત હઝરાતે સાહિબૈન (રહ.) નો એ જ તરીકો છે. (શામી–ર/૬૦ર)

Log in or Register to save this content for later.