Chapter : કુરબાની
(Page : 360)
સવાલ :– કુરબાનીના એક જાનવરના પૂછડાનો નીચેનો ભાગ કે જેના ઉપર બાલ હોય તે તૂટી ગયો છે અને થોડા થોડા બાલ રહી ગયા છે તો મઝકૂર જાનવરની કુરબાની દુરસ્ત છે કે નહિ?
જવાબ :– જયારે કે ફકત બાલવાળો ભાગ તૂટયો છે તો વગર શંકાએ આવા જાનવરની કુરબાની જાઈઝ છે, કારણ કે જે જગ્યાએ બાલ ઉગે ત્યાંથી ઉપર ત્રીજા ભાગ સુધી કપાય જાય તો પણ કુરબાની દુરસ્ત થઈ જાય છે. (આલમગીરીઃપ/૩૦૭, દુર્રે મુખ્તાર શામી –પ/ર૦૬)
Log in or Register to save this content for later.