[ર૭૭] નિસાબથી વધુ રકમ પર વર્ષ ગુઝરવાથી ઝકાત – કુરબાનીનો વુજૂબ

Chapter : કુરબાની

(Page : 355-356)

સવાલ :– મારી પાસે એટલી રકમ છે કે તેના ઉપર ઝકાત વાજિબ છે, તો શું તેની ઝકાત અને કુરબાની મારી ઉપર વાજિબ છે? આ રકમ મારી પાસે આખુ વર્ષ રહે છે, પરંતુ ઈદના દિવસે હું આ રકમ મારા વાલિદૈનને આપી દઉં છું.

જવાબ :– જો વર્ષ ગુજરી જાય અને આપ ઝકાતપાત્ર રકમના માલિક હોવ તો તમારી ઉપર ઝકાત અદા કરવી જરૂરી છે. અને કુરબાનીના દિવસોમાં જો આપની પાસે તે રકમ હોય તો કુરબાની પણ વાજિબ થશે.     (શામી –ર/પ)

Log in or Register to save this content for later.