Chapter : કુરબાની
(Page : 355)
સવાલ :– હમારા ગામની ઔરતોને શાદી પ્રસંગે તેમજ જીયાળા તેમજ ઈદના તહેવારો ઉપર તેણીના બાપ તરફથી દાગીના અને રોકડ રકમ બક્ષિશ આપવામાં આવે છે, જેના કારણે ઘણી ખરી ઔરતો ઉપર ઝકાત આપવી અને કુરબાની વાજિબ થાય છે, તો આ ઝકાત અને કુરબાની કોણ કરે ઔરત પોતે પોતાના માલમાંથી યા તેના (ખાવિંદના માલમાંથી) યા સસરા (સસરાના માલમાંથી) ઝકાત આપે અને કુરબાની કરે તે જણાવશોજી.
જવાબ :– ઔરતે પોતાના માલમાંથી ઝકાત અને કુરબાની અદા કરવી પડશે. ઔરત પર વાજિબ થતી કુરબાની અને ઝકાતની જવાબદારી તેના શોહર ઉપર કે સસરા ઉપર નથી. જો શોહર કે સસરા ઔરતની ઈજાઝત લઈને તેની કુરબાની અને ઝકાત સ્વેચ્છાએ અદા કરવા ચાહે તો કરી શકે છે, તેઓ ઉપર ઝરૂરી નથી.
Log in or Register to save this content for later.