Chapter : કુરબાની
(Page : 343-344-345)
સવાલઃ– હું શિક્ષકની નોકરી કરું છું મારો પગાર રૂ.પ૩ર/– છે, જેમાંથી પ્રો.ફંડ કપાતા મને રૂ.૪૯૯/– ચોખ્ખો પગાર મળે છે, ચોખ્ખા મળતા પગારમાંથી માસિક કોઈ બચત થતી નથી, એટલે મારી પાસે રોકડ રકમ નથી. તે ઉપરાંત સોના ચાંદીમાંથી મારી પાસે કંઈજ નથી. હા, જે પ્રો.ફંડ કપાય છે તે રૂ.પ૦૦૦/– જેટલું જમા થયું છે જે નોકરીમાંથી રીટાયર્ડ થયા વગર મળતું નથી. શાદીના પ્રસંગે કે ઘર બાંધવા માટે તેમાંથી પ૦% મળે છે, પરંતુ તે કર્ઝના રૂપમાં મળે છે જે પાછું ભરવું પડે છે. આ સિવાય મિલકતમાં મારી પાસે એક ઘર બાંધવા માટેની પડતર જમીન છે જે મેં રૂ.૭૦૦/– માં ખરીદી છે. આ મારી માલી હાલત છે, તો આ સૂરતમાં મારી ઉપર સદકએ ફિત્ર વાજિબ થશે કે કેમ? કુરબાની આપવી પડશે કે કેમ? અને જે પ્રો.ફંડ કપાય છે તેના ઉપર સરકાર વ્યાજ ત્થા બોનસ આપે છે જે લઈ પોતાના કામમાં લેવું જાઈઝ છે કે કેમ?
જવાબઃ– જો અત્યારે ગભાણની કિંમત સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર છે અને તમારા શિરે કોઈ દેવું નથી તો હાલ તે તમારા વપરાશમાં ન હોવાથી વધારાનું ગણાશે અને નિસાબના પ્રમાણમાં હોવાથી તમારા ઉપર કુરબાની અને સદકએ ફિત્ર વાજિબ થશે અને તમો ઝકાતના હકદાર પણ નહિ બનો. અને જો એટલી કિંમતનું નથી, બલ્કે હાલ પણ નિસાબથી ઓછી કિંમતનું છે, તો પણ એહતિયાત એ જ છે કે પોતાને સાહિબે નિસાબ સમજવામાં આવે, કારણ કે ચાહે પ્રો.ફંડની જમા રકમ તમારું મુદ્દતી દેવું ગણી શકાય છે અને મુદ્દતી દેવું ફિકહના અમૂક મસાઈલને જોતાં નિસાબમાં ગણાતું નથી જયાં સુધી કે મુદ્દત પૂરી ન થઈ જાય, પરંતુ કર્ઝના નામથી તમો પ્રો.ફંડ ઉપાડી શકો છો એવી જ રીતે રાજીનામુ આપીને પણ પ્રો.ફંડ વસૂલ કરી શકો છો એટલે પ્રો.ફંડને ફિકહના બીજા અમૂક મસાઈલ મુજબ નિસાબમાં ગણી શકવાની શકયતા પણ નક્કર છે અને અમૂક મસાઈલ મુજબ તો નિસાબમાં વસૂલ થઈ શકે એવું મુદ્દતી દેવું હોવાની સૂરતમાં જો પોતાની પાસે કુરબાની કરી શકાય એટલી રકમ હોય તો પણ કુરબાની વાજિબ થાય છે, માટે ઉપર લખવા મુજબ એહતિયાત એ જ છે કે ગભાણ અને પ્રો.ફંડથી પોતાને સાહિબે નિસાબ સમજીને કુરબાની અને સદકએ ફિત્ર અદા કરવો જોઈએ. (દુ.મુખ્તાર શામી ૬૧/૭૦ ભાઃર / આલમગીરી ૧૮૯ ભાઃ૧/૩૦૭ ભાઃપ / કાઝીખાન આલમ સાથે ૩૪૪ ભાઃ૩ / બઝાઝિયહ આલમ સાથે ર૮૭ ભાઃ૬ / ઈ.ફતાવા ૧પર ભાઃ૩)
જમા પ્રો.ફંડની ઝકાત હાલ નહિ આપવી પડે વસૂલ થયા બાદ જો સાહિબે નિસાબ માલદાર હશો તો વસૂલ થયા પછીના વર્ષોની ઝકાત આપવી પડશે અને પાછલા વર્ષોની ઝકાત પણ હઝ.સાહિબૈન (રહ.)ના મસલક મુજબ આપવી બેહતર અને એહતિયાતની વાત છે. (ઈ.ફતાવા પ૦ ભાઃ૩)
ફરજિયાત કપાત ઉપર જે વધારો વ્યાજ અને બોનસના નામથી મળે છે તે શરઈ દ્રષ્ટિએ વ્યાજ નથી માટે તે વધારો લેવો અને પોતે ઉપયોગ કરવો જાઈઝ છે. (ઈ.ફતાવા ભાઃ૩ ૧પ૧ / કિ.મુફતી ભાઃ૮)
وکذا لو کان لہ مال غائب لایصل الیہ فی ایام النحر لانہ فقیر وقت غیبۃ المال حتی تحل لہ الصدقۃ بخلاف الزکوۃ فانھا تجب علیہ لان جمیع العمر وقت الزکوۃ وھذہ قربۃ مؤقتۃ فیعتبر الغِنیٰ فی وقتھا (بدائع الصنائع ص:۶۴؍۵)
لہ دین حال علی مقر ملّی ولیس عندہ ما یشتریھا بہ لا یلزمالاستقراض ولا قیمۃ الاضحیۃ اذا وصل الدین الیہ ولکن یلزمہ ان یسئل عنہ ثمن الاضحیۃ اذا غلب علی ظنہ انہ یعطیہ۔ (فتاوی بزازیہ ۲۸۷ مع عالمغیری ششم)
والذی لہ دین مؤجل علی انسان اذا احتاج الی النفقۃ یجوز لہ ان یأخذ الزکوۃ قدر کفایتہ الی حلول الاجل وان کان الدین غیر مؤجل فان کان من غلبہ الدین معسر یجوز لہ اخذ الزکوۃ فی اصح الاقاویل لانہ بمنزلۃ ابن السبیل وان کان المدیون موسرا معترفاً لا یحل لہ اخذ الزکوۃ۔ (عالمگیری ۱۸۷ باب مصارف الزکوۃ)
Log in or Register to save this content for later.