Chapter : નિકાહ
(Page : 303-304)
સવાલઃ– અમારા ગામમાં એક આમ રિવાજ થઈ ગયો છે કે જયારે ઓરતને પહેલી વાર હમલ હોય છે ત્યારે ઓરતને તેના માં – બાપને ત્યાં આઠમાં મહીને તેની સાસરીવાળી ઓરતો સુવાવડ માટે મુકવા જાય છે અને ખાવાનું પકાવી ખવડાવવામાં આવે છે, જેને અમે સતવાસો કહીએ છીએ તો તેનો સહીહ તરીકો શું છે?
જવાબઃ– સવાલમાં લખવા મુજબ પહેલી પ્રસૃતિ (સુવાવડ) વખતે ઓરતને તેના માં–બાપને ત્યાં મોકલવાનો રિવાજ અને મોકલતી વખતે કરવામાં આવતી વિધિ એ કોઈ દીની અને શરઈ બાબત નથી અને એ કોઈ મુસ્તહબ કે સુન્નત તરીકો નથી, મજકૂર તરીકો માત્ર એક સામાજિક રિવાજ – રસમ છે, જેમાં ઘણી વાતો અન્ય કોમોના અનુસરણમાં કરવામાં આવે છે, એવા રિવાજોનો ત્યાગ કરવો જોઈએ, શરીઅતની રૂએ તો સુવાવડની વ્યવસ્થાની બધી જવાબદારી પતિની છે માટે તેણે ઓરતને પોતાના ઘરે રાખી પોતે બધી વ્યવસ્થા કરવી જોઈએ. (શામી : ભા –ર)
Log in or Register to save this content for later.