Chapter : કુરબાની
(Page : 341)
સવાલ :– એક માણસે પોતાની ભાણકીને કહયું કે તારી પાસે બકરીનું જે બચ્ચું (બકરો) છે એને પાલવીને મોટુ કરજે, હું એને કુરબાની માટે તારાથી ખરીદીશ. થોડાક દિવસો પછી એ બકરો મરી ગયો અને ત્યાર પછી થોડા દિવસે આ માણસ પણ ખુદાની રહમતે પહોંચી ગયા, તો આ માણસની નિય્યત કુરબાનીની હતી તેના તરફથી બીજો બકરો કુરબાની માટે લાવવો વાજિબ છે ? શરીઅતનો શું હુકમ છે? (માણસ અમીર હતો.)
જવાબ :– મજકૂર સૂરતમાં બીજો બકરો ખરીદી મર્હૂમ તરફથી કુરબાની કરવી વાજિબ નથી, કારણ કે આ શબ્દોથી કુરબાનીની મન્નત નથી થઈ, એ તો ફકત ભાણકી પાસેથી બકરો ખરીદ કરવાનો વાયદો છે, બીજું કે માલદાર માણસ પણ જયારે વફાત પામે તો વફાત પામ્યા પછીના વર્ષોમાં કુરબાની તેના ઉપર વાજિબ થતી નથી. હા, તેના રિશ્તેદારો પોતાના માલમાંથી કુરબાની કરી મર્હૂમને ઈસાલે સવાબ કરે તો બન્નવ ને સાવબ મળશે.
Log in or Register to save this content for later.