[ર૪૮] શોહરની વફાત બાદ વિધવા અને તેની અવલાદની જવાબદારી

Chapter : નિકાહ

(Page : 285-286)

સવાલઃ– મારા શોહરના ઈન્તેકાલ પછી હમો વિધવા તેમજ યતીમની જવાબદારી હમારા દીયરોની તેમજ સાસુની હોય છે, તે બાબત મઝહબ,  શરીઅતની દ્રષ્ટિએ જણાવશો.

જવાબઃ– તમારી પાસે પોતાના ભરણ પોષણની વ્યવસ્થા ન હોય તો તમારા ભરણ પોષણની જવાબદારી તમારા માં – બાપ ભાઈ બહેનોની ગણાશે, તમારા દીયરોની જવાબદારી નહીં ગણાય અને મરહૂમની અને તમારી પેટથી જે અવલાદ છે, તેમાંથી છોકરીઓ અને નાબાલિગ છોકરાઓના ભરણ પોષણની જવાબદારી તમારા ગરીબ હોવાથી તેમની દાદીની અને તેમના કાકાઓની ગણાશે,  ભરણ પોષણ ૧/૩ જવાબદારી દાદીની રહેશે અને ર/૩ બધા સગા કાકાઓની રહેશે.

                                                                                                (શામી ભા. ર)

Log in or Register to save this content for later.